ભાવનગરના દહેજમાં વસીલા નામનું ટગ દરિયામાં ગરકાવ થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે હવે આ મામલે ખુલાસો થયો છે કે ટગ બોટનો વીમો પૂર્ણ થયો હોવા છતાં સેવા લેવામાં આવતી હતી.
ગાંધીનગરના અધિકારીના ઈશારે ટગ બોટની સેવા લેવાતી હતી. મહત્વનું છે કે દહેજ ખાતે રો-રો ફેરીના જહારેને કાંઠે પાર્ક કરાવતી વખતે આ ઘટની બની હતી. આ ઘટના અધિકારીઓની લાપરવાહીના કારણે બની હોય તેવું પણ લાગી રહ્યુ છે.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર ટગ બોટમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતાં જેમાંથી 5ને વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિનું દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. સૌપ્રથમ વાર રો-રો ફેરી સર્વિસ શરૂ કર્યા બાદ જુન 2018માં બંધ કરી દેવામાં આવી હતી.
સરકાર દ્વારા ચોમાસા દરમિયાન પરિસ્થિતિ યોગ્ય ના હોવાથી સલામતીના કારણોસર આ ફેરી બંધ કરાઈ હોવાનું કારણ રજૂ કર્યું હતું. જો કે આ સેવા ફરીવાર આગામી 27 ઓક્ટોબરે શરૂ થશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે ત્યારે આજરોજ દહેજમાં વસીલા નામનું ટગ દરિયામાં ગરકાવ થવાની ઘટના સામે આવતા દહેજ રો-રો ફેરીમાં ફરી વિઘ્ન આવ્યું છે.