તળાજા: ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. જેમાં તળાજા અને સિહોરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જયારે ગારિયાધારમાં બંને પક્ષ વચ્ચે સરખી બેઠક માટે ટાય થઇ છે.
ભાવનગરમાં સવારથી જ મતગણતરીનો ભારે ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો. મતગણતરીને લઇને ચુસ્ત બંદોબસ્ત રાખવાનામ આવ્યો હતો. તળાજામાં 28 બેઠકમાંથી ભાજપને 16 અને કોંગ્રેસને 12 બેઠક મળી હતી. જયારે સિહોરમાં ફરી ભાજપે સત્તા જાળવી રાખી છે.
આ બાજુ ગારીયાધારમાં ભાજપ અને કોંગ્રેસને બન્નેએ 14-14 બેઠક મળતા ટાય થવા પામી છે. ભાજપના આગેવાનોનું કહેવું છે લોકોએ વિકાસના મુદા મત માટે આપ્યા છે અને અમે હજુ વધુ વિકાસ કરીશું.