રાજકોટમાં હાલ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 5 કોવિડ દર્દીઓના મૃત્યું થયા હતા. જેને લઇને રાજ્યભરમાં હાલ ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર તંત્ર પણ સફાળુ જાગી ગયું છે. મનપા દ્વારા ચેકિંગ કરવામાં આવતા 7 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.
ફાયર સેફ્ટી મામલે ભાવનગર મનપાએ આળશ ખંખેરી
અત્યાર સુધી 7 હોસ્પિટલને સીલ મારવામાં આવી
સિવિલ હોસ્પિટલમાં જ નથી ફાયરના પૂરતા સાધનો
રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તેના પ્રત્યાઘાતો જાવો મળી રહ્યાં છે. જેને લઇને હોસ્પિટલમાં બનતી આગની ઘટના બાદ આખરે ભાવનગરનું તંત્ર સફાળું જાગ્યું છે. મનપા દ્રારા ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાયું છે.
મનપા દ્વારા ચેકિંગ દરમિયાન ફાયર સેફટીના નિયમને નેવે મૂકનાર શહેરની 7 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટી માટેના પૂરતા સાધનો ન હોવાની હકીકત સામે આવી છે. આ મામલે અગાઉ બે વખત સિવિલ હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી હતી.
ભાવનગર સિવિલમાં ફાયર વિભાગની મોકડ્રીલ
રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઇને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજવામાં આી હતી. સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાનો મેસેજ અપાયો હતો. ફાયર વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યું હતું. મોકડ્રીલને લઇને દર્દીઓ અને સગા મૂંઝાયા હતા. જો કે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.