ભાવનગરઃ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સભ્યપદ ધરાવતા અને ડુંગળી વહેંચવા માટે લાવતા અંદાજે 13 હજારથી વધુ ખેડૂતોને સરકાર દ્વારા 13 કરોડ જેવી સબસીડીની રકમ ના ચુકવતા આજે કોંગ્રેસના ખેડૂત સમાજના આગેવાનોએ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે યોગ્ય કરવા માંગ કરી હતી.
ભાવનગર જિલ્લામાં એક માત્ર ભાવનગર યાર્ડમાં વહેંચાયેલ ડુંગળીના ખેડૂતોને સબસીડી મળી નથી. આ બાજુ મહુવામાં ખેડૂતોને 40 કરોડ જેવી રકમ ચૂકવી દેવામી આવી છે. ત્યારે ભાવનગરના ખેડૂતો શા માટે પરેશાની ભોગવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.
મહત્વનું છે કે એક વર્ષમાં ડુંગળી વહેંચવા માટે લાવતા ખેડૂતોને સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ડુંગળીનું વેચાણ કરી ગયેલા 13 હજાર જેટલા ખેડૂતોએ આ બાબતે અરજી કરી છે.