ગુજરાતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. કેટલાય લોકો વ્યાજખોરોના ત્રાસને કારણે મોત વહાલુ કર્યુ છે ત્યારે જાહેરમાં વ્યજખોરોએ યુવકને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે.
ભાવનગરમાં ચોંકાવનારી ઘટના
યુવકને પેટ્રોલ છાંટી સળગાવી દેવાયો
નાણા પરત આપવા મુદ્દે યુવકને સળગાવ્યો
ગુજરાતમાં વ્યાજખોરોને કોઈનીય બીક હોય એવું લાગતુ નથી. આ પહેલા પણ નાના અને મોટા વેપારીઓ આ વ્યાજખોરોના આતંકને કારણે મોત વહાલુ કરી ચૂક્યા છે ત્યારે ભાવનગરના પાલીતાણામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભૈરવપરા વિસ્તારમાં સરેઆમ યુવકને પેટ્રોલ છાંટી સળગાવ્યો છે.
વ્યાજખોરો ભૈરવપરા મહેબૂબશાને પોતાના ઘરની બહાર ખેંચી લાવ્યા હતા અને પેટ્રોલ છાંટ્યુ હતુ. એટલું જ નહીં પરંતુ સરાજાહેર તેને આગ ચાંપી દીધી હતી. વ્યાજના લીધેલા નાણા પરત આપવાના મુદ્દે યુવકને સળગાવ્યો છે.
શું કહે છે યુવક
હોસ્પિટલના બિછાનેથી યુવક કહે છે કે, લાલો કાઠી અને બીજા એક જણાએ મને બહાર બોલાવ્યો અને પછી પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી ભાગી ગયાય. યુવક રડતા રડતા કહે છે કે મને બહુ લાય બળે છે. યુવતના ફોટા અહીં મૂક ન શકાય તેટલા ખરબા છે. પોલીસે જ્યારે પૂછ્યુ કે તમારી પાસે ફોન નથી તો યુવક કહે એ 5000ના 40000 કર્યા. મારી પાસે ફોન નથી. તેમણે ગીરવે લઈ લીધો છે.
લોકોમાં ઉઠી રહ્યા છે પ્રશ્નો
સલામત ગુજરાતમાં આ રીતે લોકો જોત રહે અને કોઈનો જીવ જાય એ કેટલું યોગ્ય? ત્યારે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે, રાજ્યમાં બેફામ બની રહેલા વ્યાજખોરો પર ક્યારે લગામ લાગશે? શું વ્યાજખોરોને પોલીસનો ડર જ નથી રહ્યો? પોલીસ આવા શખ્સો સામે કેમ કડક કાર્યવાહી નથી કરતી? આટલા મામલા સામે આવે છે છતા પોલીસ કેમ નિષ્ક્રિય છે? લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહેલા વ્યાજખોરો સામે કાર્યવાહી ક્યારે? સળગતા સવાલ
રાજ્યમાં બેફામ બની રહેલા વ્યાજખોરો પર ક્યારે લગામ લાગશે?
શું વ્યાજખોરોને પોલીસનો ડર જ નથી રહ્યો?
પોલીસ આવા શખ્સો સામે કેમ કડક કાર્યવાહી નથી કરતી?
આટલા મામલા સામે આવે છે છતા પોલીસ કેમ નિષ્ક્રિય છે?
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહેલા વ્યાજખોરો સામે કાર્યવાહી ક્યારે?