ભાવનગરના પાલીતાણામાં લવ જેહાદ મામલે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
લવ જેહાદ મુદ્દે બોલ્યાં હર્ષ સંઘવી
"લવ જેહાદ એક મોટું ષડયંત્ર છે"
"છોકરીઓને ફસાવનારને છોડાશે નહીં"
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, લવ જેહાદ એક મોટું ષડયંત્ર છે...પ્રેમ કરવો એ ખોટું નથી. પરંતુ ઓળખ છૂપાવીને છોકરીઓને ફસાવવી તે ચલાવી લેવાય નહીં.
છોકરીઓને ફસાવનારને છોડાશે નહીં
ખોટા દસ્તાવેજ બનાવી છોકરીઓને ફસાવનારને છોડાશે નહીં. પાલિતાણાના બંને કેસમાં ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. બંને દીકરીઓના પરિવાર સાથે મુલાકાત કરશે.
લવજેહાદની ઘટનાથી સમગ્ર પંથકમાં મચ્યો હતો હાહાકાર
ભાવનગરના પાલીતાણા ખાતે રહેતા ચેતનભાઈ ધીરુભાઈ દેવલૂકની પુત્રી ગૂમ થયાની ફરિયાદ બાદ પોલીસે આ કેસની તપાસમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરતા આ સમગ્ર કેસમાં એવો વળાંક આવ્યો કે જે યુવતીને ભગાડી જવામાં આવી છે. તેને ધર્મ પરિવર્તન કરાવી નખાંયુ છે અને મેરેજ સર્ટિફિકેટ તેમજ નિકાહના સર્ટીફિકેટ પણ ખોટા હોવાનું બહાર આવ્યું છે. પાલીતાણામાં જ રહેતા જાકીર હારૂનભાઇ સૈયદ નામનો યુવક આ યુવતીને ભગાડી ને દિલ્હી લઇ ગયો હતો, અને ત્યાં લગનના ખોટા સર્ટી પણ યુવતીને બતાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આ ઘટના પગલે આમ તો પરિવારને અગાઉથી જ શંકા હતી કે કોઈ વિધર્મી આ યુવતીને ભગાડી ગયો છે. આથી જે તે સમયે પાલીતાણા બંધ જેવા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા અને હિન્દૂ સંગઠનો પણ મેદાનમાં આવ્યા હતા.
પાલીતાણામાં લવ જેહાદનો શું છે મામલો ?
પાલીતાણાની એક યુવતીને ભગાડી ગયો હતો વિધર્મી યુવક
યુવતીને ભગાડી જઇ ખોટી રીતે કરાવ્યું હતું ધર્મપરિવર્તન
જાકીર હારૂન સૈયદ નામનો યુવક યુવતીને ભગાડી ગયો હતો
યુવતીને ભગાડી જઇ યુવક દિલ્લી લઇ ગયો હતો
લગ્નના સર્ટિફિકેટ પણ ખોટા હોવાનું સામે આવ્યું હતું
લગ્નના ખોટા સર્ટિફિકેટ બતાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું
પોલીસે આ ગુનામાં 4 આરોપીને ઝડપી પાડ્યા હતા
હજુ પણ 2 લોકો પોલીસ પકડથી દૂર
જાકીર સૈયદ, ગુલાબખાન પઠાણની ધરપકડ
અલ્તાફ શેખ અને મહંમદ શીલ કાદરીની ધરપકડ
થોડા દિવસ પહેલા નોંધાઈ હતી લવ જેહાદની ફરિયાદ
ભાવનગરના પાલીતાણામાં લવ જેહાદની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જાકીર સૈયદ, ગુલાબખાન પઠાણ, અલ્તાફ શેખ અને મહંમદ શીલ કાદરીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે દરમિયાન કોર્ટે ચારેય આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાલીતાણામાં લવ જેહાદનો પ્રથમ કેસ ગ્રામ્ય લેવલે બનતા હાલ પોલીસ સતર્ક થઈ છે.
ગુજરાતમાં ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ
ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ની જોગવાઈઓમાં સરકારે સુધારો કર્યો છે. જે મુજબ લાલચને લગતી જોગવાઈમાં વધુ સારી જીવનશૈલી, દૈવી-કૃપા જેવી અન્ય જોગવાઈ ઉમેરવામાં આવેલ. કપટયુક્ત સાધનોની જોગવાઈમાં ધાર્મિક ચિહ્નો વિગેરેનો ખોટો ઉપયોગ પણ ઉમેરવામાં આવેલ છે. આ ઉપરાંત કલમ-૩ની જોગવાઈમાં બળ, લાલચ, કપટ વગેરે માધ્યમો થકી કરાતા ધર્મપરિવર્તનમાં લગ્નના માધ્યમથી ધર્મપરિવર્તન ન કરી શકાય તે માટે સુધારો કર્યો છે. જેનુ ધર્મ-પરિવર્તન કરવામાં આવેલ હોય તેનાથી નારાજ વ્યક્તિ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓ પણ પોલીસમાં ફરિયાદ કરી શકે તે માટે જોગવાઈ ઉમેરવામાં આવી હતી.
આ કાયદાની સુધારેલ કલમ-૩ મુજબ કોઈ પણ વ્યક્તિનું એક ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ બળજબરી/દબાણ (force) દ્વારા, અથવા લાલચ/પ્રલોભન (allurement) દ્વારા અથવા કપટયુક્ત સાધનો (fraudulent means) દ્વારા અથવા લગ્ન (marriage) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તદુપરાંત સુધારેલા અધિનિયમની કલમ ૪-બ એ નક્કી કરે છે કે કોઈપણ લગ્ન કે જે એક ધર્મના વ્યક્તિ દ્વારા બીજા ધર્મની વ્યક્તિ સાથે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના હેતુથી કરવામાં આવે તેને ફેમિલી કોર્ટ દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવશે.
વિશેષમાં તેમણે કહ્યુ કે આ કાયદાની કલમ-૫ જે આ કાયદાનું હાર્દ છે તે જોગવાઈ પણ આ સુધારેલા કાયદામાં યથાવત રાખવામાં આવેલ જેથી જ્યારે કોઇ વ્યક્તિ, ધર્મગુરુ કે મૌલવી કોઇ વ્યક્તિનું એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવા ધારે તો મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત બનાવવામાં આવેલ છે અને જે વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરવામાં આવે તેના દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જોગવાઈ છે અને કોઇ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે તેને એક વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.
તેમણે ઉમેર્યું કે, કેટલીક વ્યક્તિઓ દ્વારા આ કાયદાની જોગવાઇઓને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ જેની સુનવણી દરમિયાન, ૨૦૨૧ના સુધારેલા આ કાયદાના હેતુઓ તેમજ ઉપરોક્ત પાસાઓને ધ્યાનમાં લીધા બાદ, ગુજરાતની નામદાર ઉચ્ચ અદાલતે તેના તારીખ ૧૯-૦૮-૨૦૨૧ના વચગાળાનો આદેશ આપતા સ્પષ્ટતા કરી છે કે, આ અરજીઓની અંતિમ સુનાવણી બાકી છે ત્યાં સુધી કલમ ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ક ને બળજબરી/દબાણ અથવા પ્રલોભન/લાલચ અથવા કપટયુક્ત માધ્યમો વિના લાગુ પાડી શકાશે નહીં. આમ, ઉપરોક્ત સંજોગોમાં કે જેમાં લગ્ન દ્વારા વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરિત કરવા માટે બળ, લાલચ અથવા કપટનું માધ્યમ અપનાવામાં આવેલ હોય તો તેવા ધર્મ પરિવર્તનનો હાલમાં પણ અધિનયમની કલમો મુજબ પ્રતિબંધિત રહેશે અને ઉપરોક્ત કલમો ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ અને ૬ક લાગુ પડશે.
૨૦૦૩ના અધિનિયમની કલમ-૫, કે જે એક ધર્મથી બીજા ધર્મમાં પરિવર્તન માટેની પદ્ધતિ વિશેની જોગવાઇ કરે છે, તેમાં ધર્મ પરિવર્તન માટેની અગાઉની પરવાનગી (prior permission) વિશેની જોગવાઇ કરે છે. તેથી આ ૨૦૦૩ના અધિનિયમની કલમ-૫ નો ઉલ્લેખ હાઇકોર્ટના ઉપરોક્ત હુકમના ફકરા-૮માં ક્ષતિયુક્ત લાગતાં, હાઈકોર્ટના તા. ૧૯/૮/૨૦૨૧ ના હુકમમાં સુધારો કરી કલમ-૫ નો ઉલ્લેખ દૂર કરાવવા માટે સરકારે આજ રોજ હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલ જેની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટ દ્વારા તે અરજીનો સ્વીકાર કરવાનું કોઇ કારણ નથી તેમ જણાવી અરજી કાઢી નાખેલ છે.