મહિલા પોતાના દીકરા અને દીકરીને લઈને ડેમ પર પહોંચી અને પહેલા બંને બાળકોને ડેમમાં ફેંકી દીધા પણ બાદમાં પોતે..
2 બાળકોને ડેમમાં ફેંકતા બાળકોના મૃત્યુ
મહિલા પોતે પડવા જતા લોકોએ બચાવી લીધી
ડેમ પર આપઘાત કરવા પહોંચી હતી મહિલા
મા, મા શબ્દ જ પ્રેમ-કરુણાનો પર્યાય છે, કહેવાય છે કે પૂત કપૂત થાય પણ મા ક્યારેય કુમાતા નથી થતી. પણ ગુજરાતના ભાવનગરમાં જે ઘટના થઈ છે તે જાણીને કોઈ પણ વ્યક્તિ હચમચી જશે.
માના હાથે જ સંતાનોના મોત
ભાવનગરના દેસાઇનગરમાં રહેતી મહિલાએ આપઘાત કરવાનું નક્કી કર્યુ. પોતાની સાથે પોતાના સંતાનોને પણ મારી નાંખવાનો ઇરાદો રાખ્યો. મહિલા રાજપરા ખોડિયાર ડેમ પર પહોંચી અને પહેલા પોતાના બે બાળકોને ડેમમાં ફેંકી દીધા. બાળકોને નાંખ્યા બાદ મહિલા પોતે ડેમમાં કુંડવા જાય તે પહેલા તો ગામના લોકોએ જોઈ લીધી અને મહિલા ઝંપલાવે તે પહેલા તેને બચાવી લીધી. સંતાનોના મોત આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે કે એક માતાનું કાળજું કઈ રીતે ચાલ્યું હશે જ્યારે પોતાના જ સંતાનોમાં ડેમમાં ફેંક્યા હશે. નોંધનીય છે કે મહિલાના પતિ હીરા ઘસવાનું કામ કરે છે. પારિવારિક ઝઘડો હોવાનું પણ પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.
મહિલાને પોલીસને સોંપી દેવાઈ
ડેમમાં ફેંકી દેવાના કારણે સાત વર્ષના દીકરા તથા 9 વર્ષની દીકરીનું ડૂબી જવાથી મોત થઈ ગયું અને માતા બચી ગઈ. ગ્રામજનોએ મહિલાને પોલીસને સોંપી દેતા સમગ્ર મામલે સિહોર પોલીસે તપાસ હાથ ધરી છે તથા પૂછપરછ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક બાબત કહી શકાય.