ભાવનગર: ક્રાઇમની દુનિયામાં જટિલ કેસોના ઉકેલ માટે પોલીસતંત્રને DNA નો સહારો લેવો પડે છે ને તેમાં કોર્ટની મંજુરી પણ જરૂરી હોય છે. તેમજ તેમાં નાણાં અને સમય બંનેની દ્રષ્ટિએ પણ ખર્ચાળ છે.
ત્યારે ભાવનગરની ખુશાલી જોશીએ તાજેતરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન માટે ક્રાંતિ લાવીને લાળગ્રંથિ વડે આવા કેસોનો ઉકેલી શકાય તે પ્રકારની શોધ કરી છે અને તેમની આ સિદ્ધિને ઇન્ટરનૅશનલ જર્નલ ઓફ એડવાન્સ એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટમાં સ્થાન મળ્યું છે જે માત્ર ભાવનગર જ નહીં દેશ માટે ગૌરવરૂપ ઘટના છે.
ઉલ્લેખનીય છે કે આજકાલ ક્રાઇમના બનાવો વધી રહ્યું છે અને ખાસ કરી ને સાઇબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે એન્જીનીયરીંગ અને ત્યારબાદ ફોરેન્સિકના ક્ષેત્રે નવા નવા સંશોધન થઇ રહ્યું છે અને આવા જ એક સંશોધનમાં ભાવનગરની યુવતીએ દેશભરમાં નામના મેળવી છે.
ભાવનગરની ખુશાલી જોશીએ સ્થાનિક સ્વામી વિવેકાનંદ કોલેજમાંથી હોમિયોપેથીકની ડિગ્રી મેળવીને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને તેમણે પ્રોફેસર થમરાઈના માર્ગદર્શન હેઠળ એક એવી શોધ કરી છે કે જેનાથી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનનું કામ સરળ થઇ શકે છે.
આરોપીની ભાળ મેળવવા અત્યાર સુધી ડીએનએ ટેસ્ટ કરતો હતો પણ ખુશાલીએ લાળગ્રંથિથી આ ભાળ મેળવવાનું કામ સરળ કર્યું છે. બાયોલોજી અને ફિઝિક્સના મિશ્રણ વડે માત્ર 1 મિનિટમાં લાળના માધ્યમથી વ્યક્તિને ઓળખવાનું સરળ બનાવ્યું છે.
સામાન્ય રીતે DNA ટેસ્ટમાં પોલીસે કોર્ટની મંજૂરી લેવી પડે છે અને તે મળે તો જ ટેસ્ટ કરાવી શકાય છે. જ્યારે લાળગ્રંથિમાં આવી કોઈ જરૂરિયાત નથી આ ઉપરાંત આ ટેસ્ટમાં સમય પણ લાગે છે અને નાણાંનો ખર્ચ પણ સરકારને થયા છે આ સંશોધનમાં યુવતીએ રઈફેક્ટો મીટરની મદદ લીધી છે અને તેમાં લીક્વીડ મેળવી તેમાં સંશોધન કરવામાં આવે છે અને તુરંત જ વ્યક્તિની ઓળખ થઈ શકે છે.
આપને જણાવી દઇએ કે ભાવનગરની ખુશાલી આમતો નાનપણથી જ અભ્યાસમાં હોંશિયાર હતી અને કૈંક નવું કરવાની ઇચ્છા તેમનામાં હતી આથી જ તેમને આ સિદ્ધિ મળી છે. તેમ તેમના પિતાનું કહેવું છે જો કે હવે પછી ખુશાલીના પરિવારના અન્ય વિદ્યાર્થીઓ પણ આ ક્ષેત્રમાં જવા માટે આતુર બન્યા છે.
ભાવનગર ખુશાલીના આ સંશોધનને ઇન્ટરનેશનલ જર્નલમાં માન્યતા મળી છે આથી હવે ક્રાઇમની દુનિયામાં ઉકેલ માટે આ નવી સંશોધનની કામગીરી ગુન્હા શોધક સંસ્થાને ઉપયોગી બનશે તે ચોક્કસ છે.