ગુજરાતના ભાવનગરના શક્તિસિંહ ગોહિલ અસમમાં શહીદ થયા છે રક્ષાબંધન પહેલા જ તેમનો પાર્થિવ દેહ ભાવનગર તેમના વતન ભંડારિયા લવાયો હતો જેને પગલે લોકો આ પનોતા પુત્રની શહીદી પર ગર્વ લઈ રહ્યા હતા. પણ શક્તિસિંહનો હાથ રાખડી બાંધ્યા વગર કોરો રહી જતા લોકો હિબકે ચઢ્યો હતો.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યુ હતુ ટ્વીટ
હમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પાર્થિવ દેહને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ પણ શ્રદ્ધાંજલિ આપી
ભાવનગરના વતની શક્તિસિંહ ગોહિલ આસામમાં શહિદ થયા હતા. ત્યારે આજે એમની ડેડબોડી અમદાવાદ આવી હતી. તેમના વતન ભંડારિયામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યુ હતુ ટ્વીટ
કોંગ્રેસના નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ઘણા દુઃખની વાત છે કે અરુણાચલમાં ફ્રંટ લાઈનમાં ડ્યૂટી કરતી વખતે તે શહીદ થઈ ગયા. હું રાજનાથ સિંહજીને વિનંતિ કરું છું કે વીર શહીદના પાર્થિવ દેહને ગુજરાતમાં તેમના ગામમાં ચાર્ટર્ડ ફ્લાઈટથી લાવવાની વ્યવસ્થા કરે.
ભાવનગરના ભંડારિયા ગામના વતની શક્તિસિંહ ગોહિલ અરૂણાચલપ્રદેશમાં ફ્રન્ટલાઈ પર ફરજ પર હતા તે વખતે તેમનું હાર્ટેએટેકથી મોત થયું હતુ. ભાવનગરના ભંડારિયા ગામના સપૂત ગોહિલ શક્તિસિંહ ગજેદરસિંહ આર્મીમાં આસામ યુનિટ (Unit :656 EME BN, Loc: Lekhabali, Dist: Dhemaji, ASSAM. C/o 99 APO)માં હતા.