ભાવનગર પાલીતાણા ખાતે કાળભૈરવનાથના મંદિરે રાજ્યના CM રૂપાણી હવનમાં ભાગ લીધો હતો. CM રૂપાણી હવનમાં બેઠા હતા. ગઢડા સ્વામીનારાયણ મંદિરના સંત એસ પી સ્વામી પણ અચાનક જ આવી પહોચ્યા હતા પરંતુ તેમને પોલીસે સુરક્ષાના કારણોને લઇને અટકાવ્યા હતા.
અને મંદિરમાં પ્રવેશ માટે પાસ માગ્યો હતો. એસ પી સ્વામી પાસે પ્રવેશ પાસ ન હોવાથી એસ.પી સ્વામીએ દલીલ કરી હતી કે દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દર્શન માટે આવ્યો છું.
તેમ છતા પોલીસે પ્રવેશ આપ્યો નહતો. જો કે વિવાદ વધારે ન થાય તે માટે ભાજપના આગેવાન મહેન્દ્રસિંહ સરવૈયાએ પોલીસ અને સ્વામીને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને એસ.પી.સ્વામીને મંદિરમાં પ્રવેશ અપાયો હતો.