ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાવનગરમાં પણ લોકોએ ઉત્સાહ પુર્વક રક્ષાબંઘનની ઉજવણી કરી હતી. ભાવનગર જિલ્લામાં આજે જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો કંકુ ચોખા લઈને પહોંચી હતી જ્યારે બીજી તરફ બળેવ નિમિત્તે બ્રાહ્મણોએ પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પોતાની જનોઈ બદલીને તહેવારની ઉજવણી કરી હતી.
રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાવનગરની જેલમાં બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી. મોટીસંખ્યામાં બહેનો કંકુ ચોખા લઈને પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચી હતી. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેન અને ભાઈ બંનેની આંખમાં આસું આવી ગયા. ભાવનગર જેલના કમ્પાઉન્ડમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનોએ જેલ પ્રશાસનનો પણ આભાર માન્યો હતો.
ભાવનગરમાં શ્રાવણી બળેવ નિમિતે બ્રાહ્મણઓએ પોતાની જનોઈ બદલી હતી ..જશોનાથ મહાદેવ નાં મંદિરમાં વિશાળ ભૂદેવો પીતાંબરી પહેરીને સવારે પહોચ્યા હતા.. અને શાસ્ત્રાોત વિધિ મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી... બ્રાહ્મણો માટે યજ્ઞોપવીત એ એક સમાજમાં ઓળખ છે અને આથી જ દર વર્ષે બ્રાહ્મણો નવી જનોઈ ધારણ કરે છે