ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના ભાવનગરમાં દર્દીઓ પાસેથી હોમ આઇસોલેશનના નામે રૂપિયા પડાવ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. શહેરમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પાસે મહાનગરપાલિકાના નામે પહોંચ બનાવીને રૂપિયા પડાવામાં આવ્યાં હતા. જો કે સમગ્ર મામલે જાણે મનપા દ્વારા કંઇ થયું જ ન હોય તેવું વલણ દાખવામાં આવી રહ્યું છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે શું મનપા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે?
ભાવનગરમાં દર્દી પાસેથી રૂપિયા પડાવવાનો મામલો
મનપા સમગ્ર ઘટનાને લઇ ઉદાસીન બન્યું
મનપા તપાસમાં ભીનું સંકેલવાની દિશામાં
ભાવનગરમાં હોમ આઇસોલેશન દર્દી પાસેથી રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યા બાદ પણ મનપાએ હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. સમગ્ર ઘટનાને લઇ મનપા ઉદાસીન જોવા મળી રહ્યું છે. જાણે કંઇ થયું જ ન થયું હોય તેવું મનપાનું વલણ જોવા મળી રહ્યું છે.
મનપાના નામે કૌભાંડ કરનાર સામે મનપા સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં છે. જોકે દર્દીએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડ્યાનો મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મનપા તપાસમાં ભીનું સંકેલવાની દિશામાં હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે ભાવનગરમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી પાસેથી મનપાની બોગસ પહોંચ બનાવી રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું હતું.
સળગતા સવાલ
ખુલ્લેઆમ કૌભાંડ થયું અને ભાવનગર મહાપાલિકા ચલાવી લેશે?