ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં તંત્ર દ્વારા કોરોનાના આંકડાની માયાજાળ રચી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસો છૂપાવવા માટે જૂના કેસો જાહેર કર્યાં છે.
ભાવનગરના આરોગ્ય વિભાગે રચી આંકડાની માયાજાળ
કોરોનાના કેસો છૂપાવવા માટે જૂના કેસો આજે કર્યા જાહેર
ભાવનગર આરોગ્ય વિભાગે 26 નવા કેસો કર્યા જાહેર
કોરોનાના વધતા કેસને લઇને રાજ્યભરમાં તંત્ર સામે સવાલ ઉઠતા હોય છે. હાલમાં સુરત શહેરમાં પણ તંત્રના મૃત્યું આંકડાઓને લઇને સવાલો ઉભા થયા હતા. ત્યારે આજરોજ ભાવનગર શહેરમાં કોરોનાના આંકડાઓને લઇને તંત્ર સવાલ ઉઠ્યાં છે.
ભાવનગરમાં વધતા કોરોનાના કેસ સામે શહેરના આરોગ્ય તંત્ર આંકડાની માયાજાળ રચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના આરોગ્ય તંત્રએ કોરોનાના કેસ છૂપાવવા માટે જૂના કેસો આજે જાહેર કર્યા.
શહેરના આરોગ્ય વિભાગે આજે 26 કેસ જાહેર કર્યા છે. જેમાં 3 લોકોનાં મૃત્યુ થયાં છે. નવા જાહેર કરેલા તમામ દર્દીઓ 3 દિવસથી સારવાર હેઠળ છે. ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ 474 કેસ અને 14 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યાં છે. જો કે જૂના કેસો આજે જાહેર કરાતા ભાવનગર આરોગ્ય તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે.