ભાવનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે આજથી રોપેક્ષ સર્વિસના શ્રી ગણેશ થઇ રહ્યા છે. ત્યારે હવે વયોજ સીમ્ફોની નામનું જહાજ ભાવનગરના ઘોઘા બંદરે લાવવામાં આવ્યું છે. આ ફેરી સર્વિસમાં વ્યક્તિ પોતાની મોટરકાર અને ટુ-વહીલર પણ લઇ જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આ જહાજની લંબાઇ જહાજ 160 મીટર છે અને તેની પહોળા 22 મીટર છે. વયોજ સીમ્ફોની નામનું આ જહાજ પાણીમાં 4 મીટર સુધી અંદર જઈ શકે છે. વાહનની અવર-જવર કરવા માટે ફોરવહીલરનું ભાડું 800 જેટલું અને ટુ-વહીલરનું ભાડું 400 જેટલું રાખવામાં આવી શકે છે આ સાથે જ પેસેન્જરના ભાડામાં વધારો કરી 200 કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
#Bhavnagar ના ઘોઘા દહેજ વચ્ચે શરૂ થનારી રોપેક્ષ સેવાનું ઉદઘાટન
મુખ્યમંત્રી @vijayrupanibjp કરશે લોકાર્પણ રોપેક્ષ સેવાથી થશે ફાયદો
ટ્રક બસ સંચાલકો અને વાહનચાલકોને થશે ફાયદો રો રો ફેરીમાં દરરોજ 2 ટ્રીપ કરવામાં આવશે pic.twitter.com/n8CkmYGXBo
ઉલ્લેખનીય છે કે ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થનારી રોપેક્ષ સેવાનું ઉદ્ઘાટન આજે કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીના હસ્તે રોપેક્ષ સેવાનું ઉદ્ઘાટન કરાશે. આ રોપેક્ષ સેવાથી મોટો ફાયદો થશે. ટ્રક અને બસ સંચાલકો સહિત વાહન ચાલકોને મોટો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે રો રો ફેરીમાં દરરોજ બે ટ્રીપ કરવામાં આવશે.
મહત્વની વાત છે કે આ સેવા અગાઉ પણ ઉદ્ઘાટન કર્યા બાદ બંધ થતા લોકોમાં રોષ સામે આવ્યો હતો. ત્યારે ફરી એકવાર ઉદ્ઘાટન થયા બાદ સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે સેવા ચાલુ રહેશે કે પછી અગાઉની જેમ બંધ થઈ જશે તેને લઈને સ્થાનિકોમાં અનેક અટકળો વહેતી થઈ છે.