ભાવનગરઃ જિલ્લાનાં રોહિશાળા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન હેલોઝોન લાઇટનો ગેસ લીક થવાની એક ઘટના બની છે.
રાત્રી દરમ્યાન હેલોઝોન લાઇટનો ગેસ લીક થતાં 70થી વધુ લોકોને આંખમાં બળતરા તેમજ ઝાંખુ દેખાવાની સમસ્યા થઇ રહી છે.
મહત્વનું છે કે ભાવનગરનાં પાલિતાણા તાલુકામાં રોહિશાળા ગામ આવેલ છે કે જ્યાં ગઇ કાલે મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં તેઓનાં ગામનાં મોટી સંખ્યામાં અનેક લોકો હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં હેલોઝોન લાઇટનો વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે અચાનક જ આ લાઇટમાંથી એકાએક ગેસ નીકળવા લાગ્યો હતો ત્યારે લોકોને આંખમાં અચાનક બળતરા થવા લાગી હતી.
આ ઉપરાંત તે લોકો જ્યારે સવારમાં જાગ્યાં હતાં ત્યારે કેટલાંક લોકોની આંખમાં ઝાંખપ પણ આવી ગઇ હતી.
તે ઉપરાંત કેટલાંક લોકોને આંખમાં દેખાતું પણ બંધ થઇ ગયું હતું. જેને લઇ આ તમામ લોકોએ આસપાસમાં આવેલ સરકારી કે ખાનગી દવાખાનાઓમાં સારવાર લીધી હતી.