ગઢડા તાલુકાના રતનપર ગામમાં ગઈ કાલે મોડી રાતે ગોળીબારની ઘટના ઘટી હતી. જેમાં પિતા અને 2 પુત્રો ને ઇજા થી હતી. આ ઘટના ની જાણ થતા બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત નો કાફલો રતનપર પહોંચી ગયો હતો.
પ્રેમ સંબધ મામલે ગોળીબાર થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ
પિતા અને બે પુત્રો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલાઈઝ કરાયા
9 જણાની પોલીસે કરી ધરપકડ, વધુ તપાસ હાથ ધરી
બોટાદના ગઢડાના રતનપર ગામે મોડી રાત્રે ગોળીબાર થયાની વધુ એક ઘટના સામે આવી છે જેમાં પિતા અને 2 પુત્રોને ઈજા થઈ છે .તો આ ઘટનાની જાણ પોલીસ થતા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ઘરી હતી. જેમાં પ્રેમ સંબંધ નાં કારણે ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ ગુનામાં પોલીસે કુલ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ગોળીબારમાં કોણ થયુ ઘાયલ
આ ફાયરિંગમાં રતનપર ગામના સાદુળભાઈ દાદભાઈ (ઉ. વ. 45) અને તેમના બે દીકરા પ્રવિણભાઈ સાદુળભાઈ (ઉ. વ. 16 ) અને ઉદયભાઈ સાદુળભાઈ ( ઉ. વ. 23 )ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રેમ સંબધ મામલે ગોળીબાર
મામલો રામ લીલા ફિલ્મ જેવો હોવાનું સામે આવ્યુ છે. કાં તો ગોળીબાર અને કાં તો પ્રેમ. પ્રેમ સંબંધ ના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામા પોલીસે કુલ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.