ભાવનગરમાં એક પરિવાર ઘરકંકાસમાં એવો સપાડાયો કે રિસામણે ગઈ પત્નીને મનાવવાને બદલે બે બાળકો સાથે આપઘાત કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
ભાવનગરમાં બે બાળકો સાથે પિતાએ જીવન ટૂંકાવ્યું
ગળેફાંસો ખાઇ કર્યો સામૂહિક આપઘાત
ઘરકંકાસના કારણે આપઘાત કર્યાની શક્યતા
ભાવનગર હિબકે ચઢ્યુ હતુ એક પરિવાર ઘરકંકાસની આગમાં હોમાઈ ગયો હતો. જેમાં બે માસૂમ બાળકો પણ માર્યા ગયા હતા.
ભાવનગરમાં પિતાએ બે બાળકો સાથે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘરકંકાસના કારણે લાલભાઇએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. બાળકોને પહેલા ફાંસો આપી બાદમાં પિતાએ આત્મહત્યા કર્યાની શક્યતા સેવાઈ રહી છે.
નવાગામ રહેતા લાલભાઇની પત્ની ઘરકંકાસના કારણે રિસામણે હતી ત્યારે પતીએ આ અંતિમ પગલુ ભર્યુ હતુ. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહોને પી.એમ માટે મોકલ્યા છે.