ભાવનગરના એક નામાંકિત તબીબને ત્યાં ચોકીદારની હત્યા કરીને રૂપિયા 65 લાખની લૂંટના બનેલા બનાવમાં અગાઉ 1 મુખ્ય આરોપી ઝડપાયા બાદ આજે આ ગુનામાં નાસ્તા ફરતા ફરતા 2 વધુ આરોપીઓને પોલીસે દાહોદ ગામે જઈ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં હવે કોઈ આરોપીઓ છે કે કેમ તે અંગેની પૂછપરછ પણ હાથ ઝડપાયાયેલ આરોપી પાસે થી હાથ ધરી છે.
ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ આંખની હોસ્પિટલના તબીબ ડૉક્ટર માલતીબેન મહેતાના નિવાસ સ્થાને અજાણ્યા શખ્સોએ ત્રાટકીને અહીં ચોકીદારની હત્યા કરી હતી. ત્યારબાદ 65 લાખની લૂંટ ચાલવી હતી. આ બનાવથી જે તે સમયે ભાવનગરમાં ચકચરમચી જવા પામી હતી. માલતીબેન જે તે સમયે હરિદ્વાર ફરવા ગયા હતા અને તે દરમિયાન તેમના કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા વિનોદ પરમારને તેઓ ઘરની જવાબદારી સોંપીને ગયા હતા.
9 માસ બાદ વધુ 2 આરોપીઓની ધરપકડ
આ સમયે 5થી 6 જેટલા શખ્સો અહીં દર્દી બનીને આવ્યા હતા. આ સમયે તબીબ ના હોવાનુ કહેતા આ શખ્સોએ તેમના પ્લાન મુજબ આ ચોકીદારની બાંધીને હત્યા કરી હતી. બાદમાં કારમાં, તિજોરી, રોકડ રકમ, દાગીના વગેરે લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે 1 મુખ્ય આરોપીને જે તે સમયે ઝડપી લીધો હતો. બાદમાં આજે 9 માસ પછી વધુ 2 આરોપીને પોલીસે બાતમીના આધારે દાહોદમાંથી ઝડપી લીધા છે અને હજુ અન્ય આરોપી કોણ છે તેની તપાસ હાથ ધરી છે.
મકાનમાં વૃદ્ધ એકલા રહેતા હતા
ભાવનગરના પોષ વિસ્તારમાં બનેલી ઘટનાએ આમ તો પોલીસ સામે જે તે દિવસે પડકાર ફેંક્યો હતો. જે કાર લઈને ગયા હતા તે સીસીટીવી કેમેરા ઝડપાઇ ગઇ હતી. પોલીસને ગુનો ઉકેલવામાં તેની મદદ હતી આ તમામ શખ્સો બેકાર હોવાનું જે તે સમયે જાણવા મળ્યું હતું. આ શખસો પાસે એવી માહિતી પણ હતી કે આ મકાનમાં કોઈ વૃદ્ધ 2 જણા એકલા રહે છે અને તેથી તેમણે તેમનું કામ પાર પડ્યું હતું.
આરોપીઓના રિમાન્ડ બાદ થશે વધુ ખુલાસા
જો કે આ શખ્સોએ અગાઉ અનેક વખત આ વિસ્તારમાં આંટાફેરા માર્યા હશે તેના કારણે આ લૂંટ અને હત્યાનો બનાવ બન્યો હશે તેમ પણ પોલીસ માની રહી છે. જો કે હવે આ કેસમાં વધુ આરોપી છે કે કેમ તે તો આ આરોપીના રિમાન્ડ મળ્યા બાદ જ જાણવા મળશે.