બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ભાવનગરનું દેવનાથ મહાદેવ મંદિર એટલે મીની કેદારનાથ, જ્યાં ભક્તોની ઈચ્છાપૂર્તિ કરે છે ભોળાનાથ
Last Updated: 06:30 AM, 18 April 2025
જઈ શકતા નથી તે લોકો ભાવનગરના દેવનાથ મહાદેવના દર્શન કરી કેદારનાથ દર્શન કર્યાનો અહેસાસ કરે છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલું દેવનાથ મહાદેવ મંદિર ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન દેવનાથ મહાદેવના દર્શને દરરોજ ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની મહાદેવ પ્રત્યેની અતૂટ આસ્થાને લઈને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને નામ આપવામાં આવ્યું દેવનાથ મહાદેવ. ભાવનગર જિલ્લામાં અનેક પ્રસિદ્ધ દેવાલયો આવેલા છે. ભાવનગરના લોકો ભગવાન શિવ પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે, પાંડવકાલીન નિષ્કલંક મહાદેવ, પડધલિયા મહાદેવ, વૈજનાથ મહાદેવ, માળનાથ મહાદેવ સહિત અનેક શિવાલયો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર છે. સુપ્રસિદ્ધ શિવાલયોમાં ભારતભરના ભાવિકો શિવ દર્શને આવતા હોય છે, ત્યારે લોકોની આસ્થામાં શહેરના દેવબાગ વિસ્તારના ભાવિકોએ ભારતના સુપ્રસિદ્ધ કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મંદિરનું નિર્માણ કરી વધુ એક મોરપીંછ ઉમેરી દીધું છે.
ADVERTISEMENT
ભાવિકો કરે છે કેદારનાથ જેવો અનુભવ
ADVERTISEMENT
વર્ષ દરમ્યાન આવતા તહેવારોમાં દેવનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે, શ્રાવણ મહિનામાં બંને સમયે કરવામાં આવતી આરતીમાં શ્રદ્ધાળુઓ અચૂક જોડાય છે અને ભોળાના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરની આસપાસ રહેતા લોકો દેવનાથ મહાદેવને શિષ નમાવીને જ પોતાના દૈનિક કાર્યની શરૂઆત કરે છે. મહાદેવજીના મંદિરે દૂરદૂરથી ભાવિકો દર્શન કરવા આવે છે. ભાવનગર શહેરના નિલમબાગ વિસ્તારમાં આવેલા દેવબાગ વિસ્તારમાં આવેલી સોસાયાટીમાં વર્ષોથી નાનું શિવ મંદિર હતું, જેની નિત્યક્રમે લોકો પૂજા અર્ચના કરતા હતા. આ વિસ્તારના યુવાનોને મંદિરને મોટુ બનાવવાનો વિચાર આવ્યો અને તેને ફળીભૂત કરવા આજુબાજુના વિસ્તારના ભાવિકો પણ તેમાં સામેલ થયા અને નાનકડા શિવાલયના સ્થાને શિખરબદ્ધ મંદિર બનાવવાની શરૂઆત કરવામાં આવી, જેમાં શ્રદ્ધાળુઓના દાનની સરવાણી વહેતી થતા સરસ મજાના શિવમંદિરનું નિર્માણ થયું. આ શિવ મંદિર ભારતના સુપ્રસિદ્ધ કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન બનાવવામાં આવ્યું છે. મંદિરને બહારથી જોતા અસલ કેદારનાથ મહાદેવ સમક્ષ ઉભા હોય તેવી પ્રતીતિ થાય છે. મંદિરના નિર્માણ બાદ અહીં સેંકડો લોકો શિવજીના દર્શને આવતા થયા છે, જ્યાં ભગવાન દેવનાથ મહાદેવ શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાનો લોકોને દઢ વિશ્વાસ છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, ચણા અને રાયડાની ટેકાના ભાવે આ તારીખથી કરાશે ખરી
ઈચ્છાપૂર્તિ મહાદેવ તરીકેની ઓળખ છે દેવનાથ મંદિરની
કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન દેવનાથ મહાદેવ મંદિર પ્રસિદ્ધ થતા આજુબાજુના જિલ્લા માંથી પણ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શને આવે છે, જે લોકો કેદારનાથ દર્શને ના જઈ શકે એવા લોકો અહીં આસ્થાભેર માથું નમાવી ભગવાન દેવનાથ મહાદેવમાં કેદારનાથ મહાદેવના દર્શન કર્યાનો અહેસાસા કરે છે. દેવનાથ મહાદેવના દર્શનથી અલગ અહેસાસ થઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને તન મનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. મહાદેવજીના મંદિરમાં કદમ રાખતા જ જાણે તમામ નેગેટિવ ઉર્જા દૂર થઈ જવાનો અહેસાસ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.