ભાવનગરના ત્રાપજથી માનસિક અસ્વસ્થ સગીરના અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર ત્રણ નરાધમોને દોઢ મહિનાની અંદર જ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ભાવનગરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસનો મામલો
ભાવનગર કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા
ભાવનગરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસનો મામલો
ભાવનગરમાં લગભગ દોઢ મહિના પહેલા બનેલી ગેંગરેપની ઘટનામાં કોર્ટે 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને 24 કલાકમાં જ ચાર્જશીટ દાખલ કરીને ગુનેગારોને જેલભેગા કર્યા હતા.
કોર્ટે લગભગ દોઢ મહિનામાં જ ગુનાગારોને સજા ફટકારી
એટલું જ નહીં પોલીસે પોક્સો સહિતની કલમો લગાવી યુવતીને ઝડપી ન્યાય મળે તે દિશામાં કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે આકરું વલણ આપનાવી આખરે ત્રણયે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
ઘટના શું હતી ?
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરી વાનમાં બેસાડી ત્રાપજ પાસે અવાવરુ જગ્યા પર લઈ જઈ ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન અલંગ પોલીસે ભાવનગરના ત્રાપજ પાસેથી રાત્રી ચેકિંગ કરી રહેલી પોલીસે શંકાના આધારે કારને અટકાવી તલાશી લીધી હતી. તેમાં બેઠેલા ત્રણેય શખ્સો શંકાસ્પદ જણાતા અને તેની સાથે તરૂણીને નિહાળી પુછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં ભાંગી પડેલા ત્રણેય શખસો મનસુખ સોલંકી, સંજય મકવાણા, મુસ્તુફા શેખએ સગીરવયની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ત્રણેયની ધરપકડ કરી લીધી હતી