ભાવનગર: રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ જાહેર થઈ રહ્યું છે. ત્યારે રાજપીપળા સૂત્રાપાડા અને ભાવનગરની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. રાજપીપળા પેટાચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા છીનવી છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા.
રાજપીપળા નગરપાલીકામાં ચંદ્રિકા વસાવાની 145 મતથી જીત થઈ છે. ભાવનગરની પાલીતાણામાં વોર્ડ નંબર-3ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવાર અનવર સોહિલની 200 મતથી જીત થઈ છે. તો બીજી તરફ ગીર સોમનાથના સુત્રાપાડા નગરપાલિકા વોર્ડ નંબર-3 અને 6મા ભાજપનો ભગવો લહેરાયો છે.
વોર્ડ નંબર-3માં રામસિંહ વાણવીની 1163 મતથી જીત થઈ છે. જ્યારે વોર્ડ નંબર 6માં રાણીબેન કામળિયાની 490 મતથી જીત થઈ છે. આ ઉપરાંત ઠાસરા અને નડીયાદ નગરપાલિકાની પેટાચૂંટણીમાં પણ ભાજપની જીત થઈ છે. નડીયાદ વોર્ડ નંબર-7માં ધારીત પટેલની 3350 મતથી જીત થઈ છે. જ્યારે ઠાસરા વોર્ડ નંબર-6માં સંગીતાબેન પરમારની 406 મતથી જીત થઈ છે.