ભાવનગરના ગારીયાધારની ત્રણ જીનીંગ મિલ સાથે 2 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ. ભાવનગર સેશન્સ કોર્ટના આદેશ બાદ ગારીયાધાર પોલીસે છેતરપિંડી કરનાર શખ્સની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ 2013માં જીનીંગ મિલને 5 રૂપિયા વધુ આપીને કપાસની ખરીદી કરી હતી.
ભાજપના મહામંત્રી અશ્વિન ત્રિવેદીએ વેપારીઓ સાથે છેતરપિંડી કરી. આ સમગ્ર મામલાનો જીતેશ નામનો વ્યક્તિ વહીવટ કરતો હતો. આ દરમિયાન અશ્વિન લોકોને વિશ્વાસ આપતો હતો. જીનીંગ મિલના માલિકોએ કપાસ આપ્યા બાદ વર્ષો સુધી પૈસા નહી ચૂકવતા અંતે 2013માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદને પગલે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અમરેલી, ગોંડલ સહીત અનેક શહેરોમાં આવેલી જીનીંગ મિલમાં આ ટોળકી દ્વારા છેતરપીંડી કરવામાં આવી છે. મીલના માલિકો પાસેથી 50 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.