ભાવનગરના વલ્લભીપુરમાં 5 લોકોના નદીમાં તણાતા મોત થયા છે. રતનપર ગામની નદીમાં 10 લોકો ન્હાવા માટે પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાંચ લોકોનું રેસ્ક્યું કર્યુ. જ્યારે અન્ય પાંચ લોકોના મોત થયા છે.
ડૂબવાથી પાંચ લોકોના મોત
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ભાવનગરના વલ્લભીપુરના દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરનું ભોજન લીધા બાદ નજીકમાં રહેલી ચાડા ગામે પાસેથી પસાર થતી કેરી નદીમાં નાહવા પડ્યા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાહવા પડેલા તમામ લોકો લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 5ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 3 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે.
મૃતકોની લાશને દવાખાને પીએમ અર્થે ખસેડાઇ
આ બનાવ અંગેની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા નદી કાંઠે ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતકોને નજીકના દવાખાને ખસેડ્યા હતા.