પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વિટ કરી સ્વામી વિવેકાનંદના અમેરિકામાં શિકોગોમાં આપેલા ભાષણને યાદ કર્યું. આજના દિવસે 1893માં સ્વામી વિવેકાનંદે અમેરિકાની ધરતી પર એવું ભાષણ આપ્યું હતું કે જે ઇતિહાસ બની ગયું. તે સિવાય એક અન્ય ટ્વિટ કરી પીએમ મોદીએ અમેરિકામાં થયેલા 9/11 આતંકી હુમલાને પણ યાદ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 11 સપ્ટેમ્બરના દિવસને ભારતમાં બે મહત્વપૂર્ણ રીતે મનાવામાં આવે છે. પહેલા આચાર્ય વિનોબા ભાવેની જયંતી અને બીજુ સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગોમાં આપવામાં આવેલું ભાષણ. બંને મહાન વ્યક્તિઓની માનવતાને ઘણુ બધુ શિખવાડ્યું છે.
પીએમ મોદીએ લખ્યું છે કે 1918માં મહાત્મા ગાંધીએ આચાર્ય વિનોબા ભાવે અંગે લખ્યું હતું કે હું નથી જાણતો કે તમારી પ્રશંસા કેવી રીત કરું. તમારો પ્રેમ અને વ્યક્તિત્વ મને આકર્ષિત કરે છે અને તમારા આત્મ મૂલ્યાંકન પણ. એવામાં હું તમારા મુલ્ય માપવા માટે ફીટ નથી.
Today, on 11th September we in India mark two important milestones.
The Jayanti of Acharya Vinoba Bhave.
The day Swami Vivekananda delivered his outstanding address in Chicago.
These great men have a lot to teach the entire humanity.
પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે વિનોબા ભાવે, મહાત્મા ગાંધીના સૌથી સાચા સમર્થકમાંથી એક હતા. તેમણે સામાજીક જીવન અને શિક્ષા માટે શાનદાર કામ કર્યું, સાથે જ ગૌ સેવાને ઉદાહરણ બનાવ્યું. તેના સિવાય પીએમ મોદીએ લખ્યું કે 1983માં સ્વામી વિવેકાનંદે ભારતના મૂલ્યોને દુનિયા સામે રજૂ કર્યા, જે આપાણ દેશની નીવ છે. હું યુવાઓને તેમના ભાષણના ભાગ વાંચવાની આપલી કરુ છું.
The world remembers 9/11 for the dastardly attack on this day in USA. If only humankind had walked on the path of ‘Jai Jagat’ given by Acharya Vinoba Bhave & Swami Vivekananda’s message of Universal Brotherhood given in 1893, the destruction that followed would not have occurred.
આ સાથે પીએમ મોદીએ અમેરિકામાં અલકાયદા દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલા પર લખ્યું છે કે આજે દુનિયા 9/11 ને અમેરિકામાં થયેલા આતંકી હુમલાને યાદ કરી રહી છે. જો આપણે વિનાબા ભાવે અને સ્વામી વિવેકાનંદના જય જગતના મંત્રને માનીએ તો આવું નુકસાન ક્યારે થશે નહીં.