ભવ્ય અને વંશ કરશે સંસારનો ત્યજી સમાજ કલ્યાણ માટે સંયમના માર્ગે જોડાશે, ૬ ફેબ્રુઆરી બંનેનો રાજા-મહારાજાની જેમ શણગાર સજવામાં આવશે
6 ફેબ્રુઆરીએ બંને કિશોરો લેશે દીક્ષા
સમાજ કલ્યાણ માટે સંયમના માર્ગે બંને કિશોરો
25 વર્ષ પછી આટલી નાની ઉમરના બાળકો લેશે દીક્ષા
વાત કરવી છે ભાવનગરના બે કિશોરોની.જેમણે પોતાની બાલ્ય અવસ્થામાં જ સંસરના ત્યાગનો નિર્ણય કર્યો છે. પોતાના માતા-પિતા અને સંબંધીઓને છોડી સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે.
સંયમના માર્ગે ભાવનગરના કિશોરો
ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે. કારણ કે, અહીં વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, રિતીરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને `વાસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. અહીં ધર્મ માટે લોકો કાંઈપણ કરી શકે છે.જેમનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના આ બંને કિશોરો છે. જેઓ હવે સંયમના માર્ગે જઈ રહ્યા છે. આપણ વાત કરી રહ્યા છીએ જૈન ધર્મની..જૈન ધર્મમાં તપશ્ચર્યા કરવી અને પુણ્યનું ભાથું બાંધવું તે એક અઘરી વાત છે, અને તેમાં પણ સંસારનો ત્યાગ કરી પ્રભુને પામવા સંયમના માર્ગે જવું એ તેનાથી પણ વધુ કઠિન હોય છે. ત્યારે ભાવનગરના બે કલ્યાણમિત્રો ભવ્ય અને વંશ આગામી ૬ ફેબ્રુઆરીએ માતા-પિતા અને સગા સંબંધીઓનો ત્યાગ કરી પ્રભુને પામવા દીક્ષાનો અંગીકાર કરવાના છે. આ પ્રસંગ ન માત્ર તેમના પરિવાર માટે પરંતુ ભાવનગરના સમગ્ર જૈન સમાજ માટે ઉત્સવની ઘડી છે. કારણ કે, 25 વર્ષ પછી આટલી નાની ઉમરના કોઈ બાળકો દીક્ષા લઈ રહ્યા છે.
6 ફેબ્રુઆરીએ બંને કિશોરો લેશે દીક્ષા
જૈનોની નગરી આમ તો પાલીતાણા છે અને તેની સુવાસ માત્ર ભાવનગર, ગુજરાત કે દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલી છે. અહિંસાની આ નગરીમા કરોડો મુનિઓ મોક્ષને પામ્યા છે, ભાવનગરના કળાનાળા વિસ્તારમા રહેતા બે જૈન પરિવારના કિશોરો ભવ્ય અને વંશ આગામી 6 તારીખે શાશન સમ્રાટ આચાર્ય વિજયનેમી સુરીશ્વરજી મહારાજ સાહેબનાં સમુદાયનાં પૂજ્ય સમુદાય નાયક આચાર્ય પ્રવર વિજય હેમચંદ્રસુરીશ્વરજી, વિજય વિમલકીર્તીસુરીજી તથા શાશન સમ્રાટ સમુદાયનાં શ્રમણી ભગવંતોની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરશે. આ બન્ને કિશોરોની હજુ તો હરવા ફરવાની. મોજમસ્તીની સાથે અભ્યાસ કરવાની ઉમર છે. પરંતુ હવે તેમનું મન મક્કમ કરી પ્રભુ ભક્તિમાં રંગાઈ જવાના છે. આ પરિવારોમાં આનંદનો કોઈ પાર નથી રહ્યો. કારણ આ બન્ને કિશોરો દીક્ષા લઈને મુનિ મહારાજ બની જશે અને તેમના કુળનું નામ રોશન કરવાના છે. બંને કલ્યાણમિત્રોની માતાઓ નાનપણથી જ પોતાના બાળકોને ધર્મ અંગેનું જ્ઞાન આપતી જેથી તેઓ મોટા થઇ ભાવનગર કે કુટુંબ જ નહી પરંતુ સમાજ ક્લ્યાણ માટે કંઈક કરે.
જૈન સમાજ દ્વારા કરાશે 5 દિવસ સુધી ઉજવણી
આ બંને કિશોરોનો દીક્ષા સમારોહ 5 દિવસ સુધી ચાવશે. જેમાં તેમને રાજા-મહારાજાની જેમ શણગાર સજવામાં આવશે. જોકે આ પ્રકારનો પ્રસંગ ઘર આંગણે આવે ત્યારે પરિવાર પણ સ્વાભાવિક રીતે ખુશ અને ઉત્સાહમાં રહેવાનો. ત્યારે શુભેચ્છકોએ પણ આ પરિવારોને વધાવ્યા છે અને આગામી દીક્ષા સમારોહમાં આમંત્રણ આપ્યું છે.