વડોદરા: ભટનાગર બંધુઓના લોન કૌભાંડ મામલે બેંકના બે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. બેંક ઓફ ઈન્ડિયાના AGM અને નિવૃત્ત DGMની CBIએ ધરપકડ કરી છે. BOIના AGM વી.વી. અગ્નિહોત્રી અને નિવૃત્ત DGM પી.કે. શ્રીવાસ્તવે 53.40 કરોડની લોન મંજૂર કરી હતી. લોનની સામે કોઈપણ પ્રકારની સિક્યોરીટી નહોતી મુકવામાં આવી. જેથી આ બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડીજીઆએલના માલિકો દ્વારા 19 જેટલી બેન્કો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના એએમજી વી.વી. અગ્નિહોત્રી અને નિવૃત ડીજીએમ પી.કે.શ્રીવાસ્તવની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ સીબીઆઇ ગાંધીનગર બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ હાથ ધરતા કંપનીની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા.