ગુજરાતની જીવા દોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના દરવાજો ખોલવામાં આવ્યાં હતા. જેને લઇને ભરૂચ નદીમાં પાણી છોડવામાં આવતાં ભરૂચમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇને જાન-માલને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને લઇને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ સંદર્ભે પત્ર લખી ડેમના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યાં છે.
સાંસદ અહેમદ પટેલનો CM વિજય રૂપાણીને પત્ર
નમર્દા ડેમમાંથી છોડવામાં આવેલાં પાણી અંગે દર્શાવી નારાજગી
નર્મદા ડેમના મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ
ભરૂચમાં આવેલાં નર્મદા નદીના પુર સંદર્ભે સાંસદ અહેમદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સવાલ ઉઠાવ્યા છે. અહેમદ પટેલે પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં આવેલાં પૂર માટે નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલાં પાણી જવાબદાર છે.
29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી નર્મદા નદીમાંથી છોડવામાં આવેલાં પાણીને કારણે ભરૂચમાં જાન-માલનું નુકસાન થયું છે. આમ સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલાં પાણી અંગે અહેમદ પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે કહ્યું કે આઉટફ્લોને યોગ્ય મેનેજમેન્ટથી ટાળી શકાયો હોત. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે મિસમેનેજમેન્ટના કારણે નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે જાન-માલની સાથે પાણીનો પણ ખોટો વ્યય થયો છે.
નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને મુશ્કેલી પડી હતી. ભરૂચના નદી કાંઠાના ખેતરો જળમગ્ન બન્યા હતા. જેને લઇ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.