ભરૂચના અંકલેશ્વરના નોબલ માર્કેટના ગોડાઉનમાં આગ લાગી હતી. બંધ ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અંકલેશ્વરના નોબલ માર્કેટના ગોડાઉનમાં આગ
સબનસીબે કોઈ જાનહાની નહી
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
ભરૂચમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ગઈકાલે સુરતમાં પણ લાગી હતી આગ
સુરતના ઉધના વિસ્તારમાં ગેસ લાઇન લીકેજ થઇ. ઉધનાના રોડ નંબર 9 પર ગેસ લીકેજ થતા આગ લાગી. ત્યારે આગ લાગતા નાસભાગ મચી છે. હાલ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે.