ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે નાળા અને પુલ જોખમી બની રહ્યાં છે. જેથી લોકો ભયના માહોલ વચ્ચે આ રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યાં છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ પાસે પુલ આવેલો છે. કિમ નદી પરનો પુલ નેત્રંગથી સુરતના વાડી નો જોડે છે, આ પુલ અનેક ગામોના લોકોને જોડે છે. જે હાલ જર્જરિત હાલતમાં છે.
ઉલ્લેખનીય છે કે, વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ આ પુલ પરથી વાહન લઇ પસાર થઇ રહ્યા છે, પુલની રેલિંગ તૂટી ગઇ છે. હાલ તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે.
નોંધનીય છે કે, હજારો વાહન ચાલકો અને આસપાસ વસતા અનેક લોકો આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇ રહ્યું છે તેમ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
આપને જણાવી દઇએ કે, થોડા સમયગાળા પહેલા રાત્રીના અંધકારના સમયે પુલ ઉપર રેતી ભરેલી ટ્રક પલટી જતાં પુલની રેલિંગ તૂટી ગઇ હતી. પરંતુ જવાબદાર વહીવટી તંત્ર દ્વારા સમારકામની કામગીરી પણ નહીં કરાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવું જ રહ્યું આ પુલ મામલે વહીવટી તંત્ર ક્યારે સાચો નિર્ણય લેવામાં આવે છે.