નર્મદા જિલ્લાના કેવડિયાના 6 ગામમાં ફેન્સિંગનો મામલો વધુ વકર્યો છે. ગઇકાલે 6 ગામના આદિવાસીઓના સમર્થનમાં કેવડિયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે કેવડિયા નર્મદા નિહાર હોટલ નજીક પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જમીનો પર ફેનસિંગ કરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કોઇપણ સંજોગોમાં જમીન ન છોડવા ગ્રામજનોએ જીદ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ભાજપ સાંસદ મનસુખ વસાવાને મારી નાખવાની ધમકી મળી છે.
નર્મદામાં ફેન્સિંગ મુદ્દે ગ્રામજનો દ્વારા વિરોધ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મળી મારી નાખવાની ધમકી
સ્થાનિક આદિવાસીઓએ સાંસદ સામે ઉચ્ચાર્યા અપશબ્દો
નર્મદાના કેવડિયાના 6 ગામના ફેનસિંગ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સ્થાનિક આદિવાસીઓએ ફોન કરીને ધમકી આપી છે. ફોન પર સાંસદ સામે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા પોલીસને ફરિયાદ કરી છે. મહત્વનું છે કે, અગાઉ મનસુખ વસાવાએ ગામના સમર્થનમાં CMને પત્ર લખ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ આ ધમકીભર્યા ફોન અંગે જણાવ્યું હતું કે, '2જી જૂનના રોજ સાંજે 5:30 પછી કોઈ વ્યક્તિ મને ફોન કર્યો હતો. જેમાં તેમ મને કહી રહ્યો હતો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદીવાસીઓ સાથે જે થઈ રહ્યું છે એ તાત્કાલીક બંધ કરી દો નહીં તો તમારે એ વેઠવું પડશે. પોલીસ શા માટે આદિવાસી પર અત્યાચાર કરી રહી છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગણપત રબારી અને મનસુખ વસાવાને તીરથી વીંધી નાખીશું અને પાળિયાથી ટુકડા કરી નાખીશું. આ બાદ ફોન કટ થઇ ગયો પછી પાછો ફોન આવ્યો પછી મે પણ તેમને એની ભાષામાં જવાબ આપ્યો હતો. આદિવાસી સંગઠનો સાથે જોડાયેલા લોકોના પણ મને ફોન આવ્યા હતા.' આ ફોન અંગે મનસુખ વસાવાએ રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી છે.
નોંધનિય છે કે નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુના 6 ગામની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આદિવાસી આ જમીન મેળવા માટે સતત માંગણી કરી રહ્યાં છે અને તેમની રોજી રોટ છીનવાઇ ગયાની ફરિયાદ છે. ત્યારે આદિવાસી આ જમીન મુદે આંદોલન કરી રહ્યાં છે. જો કે પોલીસે આંદોલનકારીને રોક્યાં હતા. આદિવાસીના આંદોલનના પગલે હાલ કેવડિયામાં પોલીસે સુરક્ષા વધારી દીધી છે.