સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભરૂચમાં જાહેર સભામાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પર ઓવૈસીએ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે તેમની આ ટિપ્પણી પર ભાજપના સાંસદ મુનસુખ વસાવાએ પ્રહાર કર્યા હતા.
છોટુ વસાવા અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી વચ્ચે થયુ છે ગઠબંધન
ગુજરાતમાં પાલિકાઓમાં ચૂંટણી માટે AIMIM અને BTPએ ગઠબંધન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી રાજ્યમાં ભરૂચ નર્મદા જિલ્લાથી પગ પેસરો કર્યો છે. ઓવૈસી છોટુભાઈ વસાવાની પાર્ટી BTP સાથે ગઠબંધન કરી પાલિકાઓમાં તેમના ઉમેદવારો ઉભા રાખવાના છે. ત્યારે આ ગઠબંધનથી ભાજપને કોઈ નુકસાન નહીં થાય તેવું નિવેદન ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવા આપ્યું હતું.
છોટુ વસાવા-ઓવૈસીની માનસિક સ્થિતિ સારી નહીંઃ ઓવૈસી
સાથે ભાજપના સાંસદ મનસુખ વસાવા એ કહ્યું BTP અને ઔવેસીની AIMIM બંને ગાંડા છે. બંને અલગતાવાદી વિચારધારા વાળા છે. તેઓ આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જશે. બન્ને પક્ષોનું અસ્તિત્વ ખતમ થઇ જશે, BTP અને AIMIMની કોઈ હેસીયત નથી કે, ભાજપને ચૂંટણીમાં હરાવી શકે.
ઓવૈસીએ બોલવામાં મર્યાદા રાખવી જોઈએ: મનસુખ વસાવા
ભરૂચ અને અમદાવાદ ખાતે BTPના છોટુ વસાવા અને AIMIM અસદુદ્દીન ઔવેસીએ જાહેરસભા સંબોધી હતી. અસદુદ્દીન ઔવેસીએ ભરૂચમાં જાહેરસભામાં કહ્યું હતું કે, ગુજરાત તો ગાંધીનું અને છોટુભાઈ વસાવાનું છે, નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નથી. આ નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવાએ બંનેને ગાંડા ગણાવી PM મોદીજી વિશ્વફલકના નેતા છે. PM નરેન્દ્ર મોદી અને છોટુ વસાવાની સરખામણી કરવી અયોગ્ય છે. છોટુભાઈ સીમિત છે, તેઓ હજુ ઝઘડિયાથી બહાર નીકળી નથી શકતા. ઔવેસીએ બોલવામાં મર્યાદા રાખવી જોઈએ કહી તેમની વાતનું ખંડન કર્યું હતું.