ભરૂચ સ્ટેશન રોડ પર આવેલી એક ફૂટવેરની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ફૂટવેરની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો.
ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર ગત મોડી રાતે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફૂટવેરની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં અફરા-તફરી મચી જવા પામી હતી.
જો કે આ ઘટના અંગેની જાણકારી નજીકના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
જો કે આગ એટલી ભીષણ હોવાને કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાને પગલે ફૂટવેરના વેપારીને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નહોંતી.