ભરૂચ જિલ્લાના 1600થી વધારે ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાઇ રહ્યો છે. જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓએ આવકવેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. અને આગામી 29મીએ ઝાડેશ્વરના નિલકંઠ ડેશ્વર ખાતે સંમેલન યોજી આવકવેરા વિભાગને રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. ખેડૂતોએ કહ્યું કે ખેડૂત તરીકે વેરો ન ભરવાનો હોવા છતાં લાખો અને કરોડોના વેરા ભરવાની નોટિસ આયકર વિભાગ દ્વારા આપવામાં આવી છે. જે બાબતે ખેડૂતોએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
1600થી વધુ ખેડૂતોને 1 કરોડ રૂપિયાથી વધુની નોટિસ
કાયદાની દ્રષ્ટીએ ખેડૂતોને અમર્યાદિત આવક પર ટેક્સ લાગતો નથી
આ મામલે ખેડૂતોએ ભરૂચ ઈન્કમટેક્સ કચેરીમાં રજૂઆત કરી હતી
ભરૂચ જિલ્લાના 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે,જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇ આવક વેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા તેમજ આગામી 29 તારીખે ઝાડેશ્વરના નિલકંઠ ડેશ્વર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ સંમેલન યોજી આયકર વિભાગમાં રજુઆત કરવાની તૈયારીબતાડી છે.
શું કહે છે ખેડૂતો?
ખેડૂતોનું જણાવવું છે કે એક ખેડૂત તરીકે તેઓને કોઈ પણ પ્રકારના વેરા ભરવામાં આવતા નથી તેમ છતાં લાખ્ખો અને કરોડો ના વેરા ભરવાની નોટિસો આયકર વિભાગ દ્વારા આપવામાં આવી છે તે બાબત ગેર વ્યાજબી છે અને આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.