ભરૂચમાં આ શું થઈ રહ્યું છે? કોરોનામાં ક્વોરન્ટાઈન કરાયેલ વિસ્તારમાં શાક માર્કેટ ભરાયું છે એટલું જ નહીં પરંતુ અહીં હેકડેઠેટ મેદની શાક લઈ રહી છે અને વેચી રહી છે આ લોકો કોરોના બોમથી કંઈ કમ નથી.
ભરૂચમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અંકલેશ્વરના કન્ટેઇમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરાયું છે. કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં અવરજવર પર મનાઇ હોય છે છતા પણ શાકમાર્કેટ શરૂ કરી દેવાયું છે. પ્રતિબંધીત વિસ્તાર ચૌટા બજારમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યારે શાકમાર્કેટ ભરાયા બાદ તંત્ર જાર્યું અને શાકમાર્કેટ બંધ કરાવ્યું છે. અને પાલિકા તંત્રએ બંદોબસ્ત માટે પોલીસને પણ જાણ કરી છે.
જો કે સવાલ એ છે કે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન કેમ?. સતત વધત કેસ સામે પાલિકા તંત્ર કેમ બેદરકાર બની રહ્યું છે?. કેન્ટેઇમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ કેવી રીતે ભરાયું?. લોકો પણ કેમ નિયમોનું પાલન નથી કરતા?.
સળગતા સવાલ
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન કેમ?
સતત વધત કેસ સામે પાલિકા તંત્ર કેમ બેદરકાર બની રહ્યું છે?