ભરૂચના લુવારા નજીકનો રોડ રક્ત રંજીત બન્યો છે. વહેલી સવારના રોજ લુવારા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3નાં મોત અને 7 લોકોને ઇજા પહોંચી છે.
ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 3નાં મોત 7 લોકો ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર ભરૂચના લુવારા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઘટના સ્થળ પર ત્રણ વ્યક્તિઓનો મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 7 લોકો ઘાયલ થયા છે.
એક મળતા અહેવાલ મુજબ ખાનગી બસ સુરતથી અમદાવાદ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો છે. અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.