ભરુચની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો બ્લાસ્ટ, પોલીસ ઘટના સ્થળે
ભરૂચના દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ
અકસ્માતમાં દાઝી જવાથી 5 લોકોના મૃત્યુ
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી
એક તરફ ગરમી તો બીજી તરફ આગના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આગના બનાવો ઉત્તોરત્તર વધી રહ્યા છે. ત્યારે ભરુચના દહેજમાં ગત મોડી રાત્રે આગ ફાટી નીકળતા 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
બ્લાસ્ટ થતા 5ના મોત
દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ ફાટી નીકળી. ગત મોડી રાતે જ આગની ઘટના બની. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા ઉ઼ડતા જોવા મળ્યા હતા. આગને કારણે બધુ જ બળીને ખાખ થઇ ગયુ. ઘટનાને પગેલ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી, આગ પર કાબૂમાં લેવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો. જો કે આગ એટલી વિકરાળ હતી કે પાંચ લોકો દાઝી જતા મોતને ભેટ્યા. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણીજોવા મળી રહી છે.
એક કામદારની શોધખોળ શરુ
મોડી રાત્રે કંપનીમાં કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આ ઘટના બનતા 5લોકો મોતને ભેટ્યા જ્યારે એક કામદારની શોધખોળ શરુ કરવામાં આવી છે. એક કામદારનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. આગ એટલી વિકરાળ હતી કે બધુ જ બળીને ખાખ થઇ ગયું. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.