ભાજપના સ્નેહ મિલનમાં ભાજપના જ નેતાએ ભાંગરો વાટ્યો છે. ભરૂચમાં યોજાએલા ભાજપના સ્નેહ સંમેલનમાં રાજપીપળાના સાંસદે "કેન્દ્રમાં ભાજપ હોવાથી SCએ અયોધ્યામાં મામલે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો" હોવાનું કહીને વિવાદનો મધપૂડો છેડ્યો છે
સાંસદના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ
રાજપીપળાના સાંસદ મનસુખ વસાવાએ ભાંગરો વાટ્યો
અયોધ્યાના ચુકાદાને લઈને છેડ્યો વિવાદ
ભરૂચમાં દિવાળી બાદ સ્નેમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખ વસાવાનો એક વીડિયો વાઈરલ થયો છે. આ કાર્યક્રમમાં વસાવાએ મોટો બફાટ કર્યો હતો. તેમણે ઈનડાયરેક્ટલી સુપ્રીમ ઉપર કેન્દ્ર સરકારનો હોલ્ડ હોવાનો ઈશારો કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યુ છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ શું કર્યો હતો બફાટ
સાંસદ મનસુખ વસાવાના વિવાદિત બોલ બોલ્યા છે. જેમાં "કેન્દ્રમાં ભાજપ હોવાથી SCએ અયોધ્યામાં મામલે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો" આ વાક્યને કારણે તમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાઈ રહ્યો છે.