ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈ-વે નંબર 8 પર ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ભાગદોડ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈ-વે નંબર 8 પર અમન માર્કેટ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
જો કે આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં 7થી વધુ ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી અને અંતે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાના કારણે ભંગારના ગોડાઉનમાં બધુ સળગીને રાખ થઈ ગયું હતું.