ભરૂચના અંકલેશ્વરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. માંડવા સોસાયટીમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. મળતી માહિતી મુજબ નાણાની લેતી દેતી મામલે બન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી અને બાદમાં બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ થયું. જેમાં 8 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત મોડી રાતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે 2 જૂથો હથિયાર સાથે સામ-સામે આવી જતાં વાતાવરણ ગરમાયું હતું. જો કે ત્યારબાદ બંન્ને જૂથ ઝઘડી પડ્યા હતા. જેમાં 8 જેટલા લોકો ઇજા થતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ જૂથ અથડામણ નાણાની લેતી દેતી મામલે થઇ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જો કે સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણકારી પ્રાપ્ત થતાં તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મામલાને વિખેરવા લાગ્યા હતા. આપને જણાવી દઇએ કે મારામારીના આ દ્રશ્યો ઘટના સ્થળની આસપાસ રહેલ CCTV માં કેદ થયા હતા.