ભરૂચના શેરપુરા ચોકડી પર અકસ્માત બાદ સ્થિતિ વણસતા 2 ખાનગી બસોને આગ લગાવી દેવામાં આવી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, પોલીસ ખડેપગે
ભરૂચ પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અકસ્માત બાદ ટોળાએ 2 બસમાં કરી આંગચંપી
ફાયર વિભાગની ટિમ અને પોલીસ ઘટનાસ્થળે
ગુજરાતમાં ડગલેને પગલે અકસ્માતની ઘટનાઑ સામાન્ય બનતી જાય છે. હાઈવે પર અસ્કમાતમાં અનેક લોકો જીવ ગુમાવે છે. ત્યારે ભરૂચના શેરપુરા ચોકડી પર અકસ્માત બાદ માહોલ તંગ થઈ ગયો હતો. ખાનગી બસની અડફેટે એક વ્યક્તિના મૃત્યુની આશંકા હતી. જેથી મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને બસમાં તોડફોડ કર્યા બાદ આગચંપી કરી હતી.
ખાનગી બસની અડફેટે એક વ્યક્તિના મૃત્યુની આશંકા
ભરૂચના શેરપુરા ચોકડી પર ખાનગી બસની અડફેટે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અકસ્માતના ભોગ બનેલા એ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેથી સ્થાનિક વ્યક્તિ હોવાથી અસ્કમાતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. એકાએક ટોળાએ ખાનગી 2 બસોને ટાર્ગેટ કરી હતી. અને બસમાં આગચંપી કરી માહોલ તંગ બનાવી દીધો હતો.
ઘટનાના પગલે ભરૂચ, દહેજ માર્ગ પર ટ્રાફિક જામ
ઘટનાની જાણ પોલીસને થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રત્યન કર્યો હતો. બનાવને પગલે ભરૂચ, દહેજ માર્ગ પર લાંબા ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા હતા. ફાયર વિભાગની ટિમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે પોલીસે હાઇવે પરથી લોકોના ટોળાને દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. સમગ્ર મામલે હાલ ફરિયાદ નોંધવવાનો તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાનગી બસની અડફેટે એક વ્યક્તિના મૃત્યુની આશંકાએ 2 બસોને આગચંપી કરી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે.