જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં વિનિવેશ માટે વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકાર હવે પોતાના જ લોકોનો વિરોધનો સામનો કરી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા ભારતીય મજદૂર સંઘે કેન્દ્ર સરકારના આ પગલાના વિરોધમાં 28 ઓક્ટોબરે દેશવ્યાપી ધરણાની જાહેરાત કરી છે.
મોદી સરકાર માટે ટૅન્શન વધ્યું
ભારતીય મજદૂર સંઘે ધરણાની કરી જાહેરાત
28 ઓક્ટોબરે દેશવ્યાપી ધરણાનું કર્યું એલાન
મજદૂર સંઘ સેક્રેટરીનું મોટું નિવેદન
ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતા ભારતીય મજદૂર સંઘના ઓલ ઇન્ડિયા સેક્રેટરી ગિરીશચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે, BMSની સમનવ્ય સમિતિએ સાર્વજનિક ક્ષેત્રના સાહસોના વિનિવેશના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. આંદોલન માટેની ઓળખ ધરાવતા તમામ ટ્રેડ યુનિયનોએ સરકારની આ નીતિનો વિરોધ કરવો જોઈએ, પરંતુ તેઓએ મૌન રહેવાનું પસંદ કર્યું. આવી સ્થિતિમાં અમે દેશવ્યાપી ધરણા કરવાનો નિર્ણય કર્યો છે.
સત્તામાં કોણ છે એનાથી ફરક નથી પડતો બસ....
તેમણે વધુમાં જણાવ્યું કે, એ વાતથી ફરક નથી પડતો કે સત્તામાં કોણ છે, સાર્વજનિક ક્ષેત્ર માટે અમે અમારું વલણ સમાન રાખવું જોઈએ,તે સમજવું જોઈએ કે જાહેર ક્ષેત્ર ખૂબ સારા ડિવિડન્ડ આપે છે. કેન્દ્ર સરકાર તેને કેમ વેચવા માંગે છે? આર્યએ કહ્યું કે, તેમને NHPL,BSNL,BHEL સહિત સ્ટીલ,પાવર,ટેલિકેમ,બેંક,ઇશ્યોરન્સ સેક્ટરના લોકોને આમંત્રિત કર્યા છે.
સરકાર વિનિવેશ મોરચે નિષ્ફળ રહી છે
“સરકાર વિનિવેશના મોરચે નિષ્ફળ ગઈ છે. સરકાર ખાનગીકરણના મોરચે પણ નિષ્ફળ રહી છે. સરકાર આ પગલાંને પ્રોત્સાહન આપતા અર્થશાસ્ત્રીઓની મદદથી કામ કરી રહી છે. તેઓ દેશ વિશે કંઈ જાણતા નથી. આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે કહે છે કે સરકાર વેચી રહી નથી. હું સંમત છું કે આ પગલું સરકાર દ્વારા લીઝ પર મુકવામાં આવી રહ્યું છે.
1 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સરકારે તમામ બિન-વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિનિવેશ માટે જાહેર ક્ષેત્રના સાહસોના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની નીતિને મંજૂરી આપી છે.