ભાકિયૂના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે 3 કૃષિ કાયદાને લઈને સરકાર આમંત્રણ આપશે તો અમે વાત કરીશું પણ વાત જ્યાં અટકી હતી ત્યાંથી શરૂ થશે.
સરકાર આમંત્રણ આપશે તો વાત કરીશુંઃ ટિકૈત
જ્યાં વાત અટકી હતી ત્યાંથી શરૂ થશેઃ ટિકૈત
બડોલીમાં 14મીએ હરિયાણાના મુખ્યમંત્રીને પ્રવેશ નહીં
ભાકિયૂના રાષ્ટ્રિય પ્રવક્તાએ કહ્યું કે સરકાર જો સંયુક્ત કિસાન મોર્ચાને લઈને વાતચીત માટે આમંત્રણ મોકલશે તો તેની પર વિચાર કરવામાં આવશે, સરકાર સાથે વાતચીત ત્યાંથી જ શરૂ કરાશે જ્યાં 22 જાન્યુઆરીએ અટકી હતી. 3 કાળા કૃષિ કાયદાની વાપસી, એમએસપીને માટેના કાયદા પર વાત થશે. ખેડૂતોના મુદ્દા એ જ રહેશે. આ વાત રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારના કૃશિ મંત્રીની તરફથી આવેલા નિવેદનના જવાબમાં કહી છે.
Farmers ready to talk if govt invites, no change in demands, says BKU leader Rakesh Tikait
સિંધુ બોર્ડર પર ગઈકાલે રાકેશ ટિકૈતે કરી આ જાહેરાત
રવિવારે રાકેશ ટિકૈત સિંધુ બોર્ડર પર આયોજિત સર્વખાપ પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેઓએ કહ્યું કે 14 એપ્રિલે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના જન્મ દિવસે ખેડૂતોનો મોર્ચો સંવિધાન બચાઓ દિવસ ઉજવશે. આ પહેલા 13 એપ્રિલે આંદોલનના દરેક મોર્ચા પર ખાલસા પંથ સ્થાપના દિવસ મનાવાશે અને જલિયાવાલા બાગ કાંડની વરસી પર શહીદોને યાદ કરાશે.
રાકેશ ટિકૈતે વાતચીતને લઈને કહ્યું આવું
કૃષિ મંત્રીના નિવેદન પર રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર 22 જાન્યુઆરીથી પહેલા સંયુક્ત કિસાન મોર્ચાને વાર્તાનું આમંત્રણ મોકલતી રહી છે. અને તે રીતે આમંત્રણ મોકલશે તો વાત થશે. પણ આ વાતચીત ત્યાઁથી શરૂ થશે જ્યાં અટકી હતી. વાતચીતના મુદ્દા પહેલા હતા તે જ રહેશે.
બડોલીમાં 14મીએ હરિયાણાના મુખ્યમંત્રીને પ્રવેશ નહીં
કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે બડોલીમાં 14મીએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પાનીપતમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવેશ નહીં આપવામાં આવે. તેઓએ આરોપ લગાવ્યો છે કે બાબા સાહેબની પ્રતિમાના અનાવરણની આડમાં ખટ્ટરના પહોંચવા દેવાશે નહીં. ટિકૈતે કહ્યું છે કે અમે બાબા સાહેબની પ્રતિમાની વિરોધમાં નથી પણ મોર્ચા હરિયાણાના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના વિરોધમાં છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે હરિયાણાના મુખ્યમંત્રી અહીં પ્રતિમાના અનાવરણ કરવા નહીં પણ ભાજપના ઈશારે એવું કરી રહ્યા છે જેથી આ ક્ષેત્રમાં સામાજિક સ્થિતિ ખરાબ ન થાય. ટિકૈતે કહ્યું છે કે આ વિસ્તારમાં શાંતિને ખરાબ થવા દેશું નહીં. આ પ્રતિમાનું અનાવરણ કોઈ કરવા ઈચ્છે છે તો તેઓ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2020થી દિલ્હીની સીમા પર પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તરના ખેડૂતો હજુ સુધી આંદોલન કરી રહ્યા છે. 3 કૃષિ કાયદાની સાથે એમએસપીની ગેરેંટીની માંગ પર પણ ખેડૂતો દિલ્હી સીમા પર લગભગ સાડા ચાર મહિનાથી બેઠા છે પણ કોઈ સુનાવણી થઈ નથી.