કોમેડિયન ભારતી સિંહ કપિલ શર્મા શૉની જાન માનવામાં આવે છે. તેનું તિતલીથી લઇને બુઆનું પાત્ર લોકોને ખુબ પસંદ આવે છે અને તેના વગર શૉ જામે અધૂરો લાગે છે. ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી હવે કપિલ શર્મા શૉમાં હશે કે કેમ તેને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે.
ભારતી સિંહ કપિલ શર્મા શૉમાંથી થશે બહાર?
મેકર્સ વિવાદીત કલાકારોને રાખવા માંગતા નથી
ભારતી ધ કપિલ શર્મા શૉની રોનક છે
સોશ્યલ મિડીયા પર કૉમેડિયન ભારતી સિંહ વિશે ઘણા પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. કેટલીક અફવાઓ એવી પણ છે કે હવે ભારતી કપિલ શર્મા શૉમાંથી બહાર થઇ જશે. મેકર્સ શૉ સાથે કોઇ પણ પ્રકારના વિવાદને જોડવા નથી માંગતા.
મેકર્સ આ ફેમિલી શૉમાં ભારતીને રાખવા નથી ઇચ્છતા કારણકે ભારતી ડ્ર્ગ્સ કેસમાં ફસાયા બાદ આ શૉનો હિસ્સો રહે. આ વાતની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભારતીને કપિલ શર્મા શૉમાં સારી એવી તગડી ફીઝ ચૂકવવામાં આવે છે પરંતુ ભારતીએ જ્યારે ડ્રગ્સ લેવાની વાત કબૂલી ત્યારે મેકર્સ વિચારમાં પડી ગયા છે.