ટીવી પર લોકોને પેટ પકડીને હસાવનાર કોમેડી ક્વિન ભારતી સિંહને જોઈને એવું જ લાગે કે તે કેટલી ખુશ હશે. પરંતુ હકીકતમાં એવું નથી.
બધાંને હસાવનાર ભારતી સિંહ અંદરથી છે દુઃખી
આજ સુધી તેણે પિતાની તસવીર ઘરમાં લગાવી નથી
મનીષ પોલના શોમાં ભારતીએ જણાવ્યું કારણ
ભારતી જ્યારે પણ ટીવી પર આવે છે ત્યારે બધાંના ચહેરા પર ખળખળાટ સ્માઈલ લઈ આવે છે. હાલમાં જ તેણે પોતાનું દુઃખ જણાવ્યું. ભારતીનું મનીષ પોલના પોડકાસ્ટ શોમાં દર્દ છલકાઈ ગયું. તેણે જણાવ્યું કે આખરે કેમ તે પોતાના ઘરમાં પિતાની તસવીર લગાવવા નથી દેતી.
એવું કહેવાય છે કે પિતા અને પુત્રીનો સંબંધ બહુ જ ખાસ હોય છે પરંતુ કોમેડિયન ભારતીને પિતાનો પ્રેમ નસીબ જ ન થયો. મોટી થઈ તો તેને લાગ્યું કે તેનો મોટો ભાઈ પિતાની જેમ રહેશે પરંતુ ત્યાં પણ તે નિરાશ થઈ. કામકાજના ચક્કરમાં ભાઈ પણ પિતાનો પ્રેમ આપી શક્યો નહીં. ભારતીના જીવનનું આ દર્દ મનીષના શોમાં છલકાઈ ગયું.
શોના ટીઝરને મનીષ પોલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ટીઝરમાં ભારતીએ કહ્યું કે તેના જીવનમાં તેની માતા જ તેના માટે બધું છે. તે 2 વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થઈ ગયું. પિતાનો પ્રેમ મને ક્યારેય ન મળ્યો. મારી બહેને પિતાને જોયા, ભાઈએ જોયા. અમારા ઘરમાં પિતાની એકપણ તસવીર નથી અને મૈં લગાવવા પણ નથી દીધી. ભાઈથી પણ પ્રેમ ન મળ્યો, બધાં કામમાં બિઝી થઈ ગયા. હવે જ્યારે પતિથી પ્રેમ મળ્યો તો ખબર પડી કે એક પુરૂષ જ્યારે પ્રેમ કરે છે તો કેવું લાગે છે.
આ વીડિયોને શેર કરતાં મનીષ પોલે ચાર્લી ચેપ્લિનની પ્રખ્યાત લાઇનો સાથે કેપ્શન લખ્યું છે. 'મને વરસાદમાં ચાલવું ગમે છે જેથી કોઈ મને રડતો ન જોઈ શકે - ચાર્લી ચેપ્લિન. જે લોકો તમને ખૂબ હસાવતા હોય છે તેમને પણ દર્દ હોય છે. આવા લોકો પોતાનું દુઃખ છુપાવે છે. આવી જ છે ભારતી સિંહ પણ છે. તેણે ઘણું દુખ સહન કર્યું છે અને મને આનંદ છે કે તેણે મારી સાથે આ બધું શેર કર્યું છે.
મનીષ પોલ અત્યાર સુધીમાં ચાર શો કરી ચૂક્યો છે. આ ટીઝર જોયા પછી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે હાસ્ય કલાકારો તેના અંગત જીવન વિશે ઘણાં ખુલાસા કરી શકે છે.