રિલાયન્સ જિઓએ ભારતી એરટેલ લિમિટેડની સાથે સ્પેક્ટ્રમ-ટ્રેડિંગ કરાર કરીને આંધ્ર, દિલ્હી અને મુંબઈ સર્કલના 800 મેગાહર્ટ્સ બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદી લીધા છે.
જિઓએ આંધ્ર, દિલ્હી અને મુંબઈ સર્કલના 800 MHz ખરીદ્યાં
આ ત્રણ સર્કલ ભારતી એરટેલના છે
જિઓ ભારતી એરટેલને રુ. 1497 કરોડ ચુકવશે.
રિલાયન્સ પાસે આ ત્રણ સર્કલમાં કુલ 7.5 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હશે.રિલાયન્સ જિઓ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં એવું જણાવાયું કે 3 સર્કલમાં ભારતી એરટેલના સ્પેક્ટ્રમ ખરીદવાનો કુલ ખર્ચ રુ. 1497 જેટલો થશે. જેમાં રુ. 459 કરોડની મોકૂફ રકમ પણ સામેલ છે.
તમામ પ્રકારની કાયદાકીય મંજૂરી બાદ કરાર લાગુ પડશે
નિવેદનમાં આગળ કહેવાયું કે દૂરસંચાર વિભાગના સ્પેક્ટ્રમ ટ્રેડિંગના નિયમો અનુસાર આ કરાર થયો છે અને તમામ પ્રકારની કાયકાદીય મંજૂરી બાદ આ કરાર લાગુ પડશે.કરાર લાગુ પડ્યાં બાદ રિલાયન્સ જિઓ મુંબઈ સર્કલમાં 800 MHz bandમાં 2X15MHz of spectrum, આંધ્રમાં 800 MHz bandમાં 2X10MHz of spectrum નો ઉપયોગ કરી શકશે.
ગ્રાહકોને મળશે આ સુવિધા
એરટેલમાં મોટાપાયે કોલ ડ્રોપની સમસ્યા આવી રહી છે. પરંતુ હવે આ ત્રણ સર્કલ જિઓ દ્વારા ઓપરેટ થવાની ગ્રાહકોને કોલ ડ્રોપની કોઈ સમસ્યા નહીં નડે. તથા ઈન્ટરનેટ પણ ફાસ્ટ સ્પીડમાં ચાલશે. તે ઉપરાંત ગ્રાહકોને રિચાર્જ સ્કીમમાં પણ ફાયદો થવાની ધારણા કરાઈ છે. દુરદરાજના વિસ્તારોમાં એરટેલના નેટવર્કની જે સમસ્યા રહેતી હતી તે પણ દૂર થશે. સરવાળે એરટેલા 3 સર્કલના જિઓ દ્વારા થયેલા હસ્તાંતરણ ગ્રાહકોના હિતમાં રહેશે. આને કારણે રિલાયન્સ જિઓ આ ત્રણ રાજ્યોને ગ્રાહકોને સારી સેવાઓ આપી શકશે.
ભારતી એરટેલના એમડી અને સીઈઓ ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું કે 3 સર્કલમાં 800 MHzના વેચાણથી અમને વપરાયા વગર પડી રહેલા સ્પેક્ટ્રકમમાંથી આવક ઉપજી છે. આ સંપૂર્ણપણે અમારી નેટવર્ક સ્ટ્રેટેજીને અનુરુપ છે.