ભારત બાયોટેકે WHO પાસે કોવેક્સિનને આપત્તિ સમયે ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી છે. આ મંજૂરી મળી ગયા પછી કોવેક્સિનના ડોઝ લીધેલ વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકે છે.
ભારત બાયોટેક દ્વારા WHOમાં અરજી કરવામાં આવેલ છે
ત્રણ ચરણમાં તપાસવામાં આવશે અરજી
કંપની કરશે 1 બિલિયન રસીનું ઉત્પાદન
ભારત બાયોટેક દ્વારા WHOમાં અરજી કરવામાં આવેલ છે
એક જાણકારી અનુસાર, ભારત બાયોટેક દ્વારા WHOમાં વેક્સિનને ઉપયોગમાં લેવા માટેની અરજી કરવામાં આવેલ છે. આ અરજી ઇમરજન્સી યુઝ લિસ્ટમાં કોવેક્સિનને સામેલ કરવા માટે કરી છે. જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો ભારતની બંને વેક્સિન તે લિસ્ટમાં સામેલ થઈ જશે. ભારત બાયોટેકે WHO પાસે કોવેક્સિનને આપત્તિ સમયે ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી છે. આ મંજૂરી મળી ગયા પછી કોવેક્સિનના ડોઝ લીધેલ વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકે છે. યુરોપમાં હાલના સમયે અવર જવર કરવા માટે એક નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. આ નિયમ મુજબ જો તમે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હશે તો જ તમે તે દેશમાં અવર જવર કરી શકશો. સાથે જ WHOની ઇમરજન્સી લિસ્ટમાં જે વેક્સિનને મંજૂરી આપી છે તે જ વેક્સિનના ડોઝ લીધા હોવા જરૂરી છે.
ત્રણ ચરણમાં તપાસવામાં આવશે અરજી
જાણકારી અનુસાર EUL શ્રેણીમાં અરજી જમા કરાવવા માટે ત્રણ તબક્કમાંથી અરજીને પસાર થવું પડશે. જેમાં સૌથી પહેલા આવે છે પ્રિ -સબમિશન. બીજા ચરણમાં હોય છે ડૉજીયરની સ્વીકૃતિ. છેલ્લું અને ત્રીજું અને ચરણ ઍસેસમેન્ટનું હોય છે. માનવામાં આવે છે કે ભારત બાયોટેક્ની આ અરજી પર મે મહિનાના અંતમાં કે પછી જૂન મહિનામાં WHOની બેઠક થઈ શકે તેમ છે.
કંપની કરશે 1 બિલિયન રસીનું ઉત્પાદન
ભારત બાયોટેક હવે દેશમાં ત્રણ રાજ્યોમાં રસી ઉત્પાદન કરશે અને આ 1 બિલિયન રસી ભારતીયોને મળશે. જેમાં હૈદરાબાદમાં 200-250 મિલિયન, બેંગલોરમાં 500 મિલિયન અને ગુજરાતમાં 200 મિલિયન રસી બનાવવામાં આવશે. હાલ WHOના લિસ્ટમાં કઈ કઈ વેક્સિન સામેલ છે તેની વાત કરીએ તો કુલ 19 વેક્સિને લિસ્ટિંગ માટે આવેદન મોકલ્યું હતું, પણ તેમાંથી માત્ર 8 જ વેક્સિન એવી છે જે ઇમરજન્સી લિસ્ટમાં સામેલ થઈ છે. આ લિસ્ટમાં ફાઇઝર, એસ્ટ્ર જેનેકાની ત્રણ વેક્સિન, સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ, મોડેરના, સીનોફારમ, જેનસેનનો સમાવેશ થાય છે. ભારતની માત્ર એક જ વેક્સિન આ લિસ્ટમાં સામેલ થઈ છે. ભારત બાયોટેકની કોવેક્સિનને 19 એપ્રિલ 2021ના રોજ WHO માં આવેદન માટે સોંપવામાં આવી છે.