સૂત્રો મુજબ ચર્ચા એવી છે કે, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાને મોટી જવાબદારી મળી શકે છે, અને હાર્દિક પટેલનું કદ વેતરાઈ શકે છે
ચૂંટણી લઇ કોંગ્રેસ અલર્ટ
રાજસ્થાન સરકારમાં થઇ શકે ફેરફારઃસૂત્ર
ગુજરાત કોંગ્રેસને મળી શકે નવા પ્રભારીઃસૂત્ર
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઇકમાન્ડ અલર્ટ મોડ પર આવી ગયું છે. અને ટૂંક સમયમાં ગુજરાત સહિત રાજસ્થાનમાં ચાલી રહેલા વિવાદનો અંત આવી તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આગામી 27 અને 28 જુલાઇ દરમિયાન રાજસ્થાન સરકારમાં ફેરબદલ થઇ શકે છે. મંત્રીમંડળમા ફેરબદલ કરી રાજસ્થાનમાં વિવાદનો હાઇકમાન્ડ અંત લાવી શકે છે.
સૂત્રોનું માનીયે તો રાજસ્થાન સરકાર બાદ ગુજરાત પ્રદેશમાં પણ ફેરબદલ થઇ શકે છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આતંરિક વિવાદનો અંત આવી શકે છે. અને આગામી મહિને ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે. આ સાથે ગુજરાત પ્રદેશમાં વધુ એકથી બે કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિ થઇ શકે છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાને ચૂંટણી પહેલા મોટી જવાબદારી અપાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યા આતંરિક વિવાદનો મામલો હવે શાંત પડી શકે છે. આ સાથે હાર્દિક પટેલ પાસે હાઇકમાન્ડ જવાબ માંગી શકે છે.
કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરીને લઇ હવે ચર્ચાઓ જોર પકડ્યું છે. કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે. આજે યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ હાજર ન હતા. અગાઉ પણ અનેકવાર હાર્દિક પટેલ નથી રહ્યા. 2 વાર રાજ્યપાલ સાથે મુલાકાત સમયે પણ હાર્દિક પટેલ ગેરહાજર હતા. અને કોંગ્રેસના જનચેતના કાર્યક્રમમાં પણ હાર્દિક ઉપસ્થિત રહ્યાં ન હતા.
ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછતા તેઓએ કહ્યું, પાર્ટીઓમાં અલગ-અલગ નેતાઓને જવાબદારી હોય છે. અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ હાજર ના પણ રહે. તેઓએ કહ્યું કે નેતાઓ અલગ-અલગ ઝોનમાં કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ શકે છે.