આજે રાષ્ટ્રીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વર્ષ 1980માં થઈ હતી.
ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના દિવસે થઈ
તે સમયે ભાજપને 2 સીટ મળી હતી
અટલ બિહારી વાજપાઈ ભાજપના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા
ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના દિવસે થઈ
દેશના રાજનૈતિક ઈતિહાસમાં 6 એપ્રિલનું ખાસ મહત્વ છે. આજ દિવસે રાષ્ટ્રીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વર્ષ 1980માં થઈ હતી. જો કે આના મૂળમાં ભારતીય જનસંઘ છે. જેની ઈંટ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ રાખી હતી. પછીથી ઈમરજન્સી ખતમ થયા બાદ આના સહિત અનેક નવા દળોએ મળીને એક નવી પાર્ટી બનાવી જેને જનતા પાર્ટી કહેવામાં આવી. આના 3 વર્ષ બાદ એંસીમાં પાર્ટી બંધ થઈ ગઈ અને જનસંધના વિચારોને લઈને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ કર્યુ. જે 6 એપ્રિલ 1980નો દિવસ હતો.
તે સમયે પાર્ટીને 2 સીટ મળી હતી
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સમયમાં પાર્ટીને ફક્ત 2 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે આજે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે. પાર્ટીની સ્થાપનાને 41 વર્ષ પુરા થઈ ચૂક્યા છે.
અટલ બિહારી વાજપાઈ ભાજપના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈ ભાજપના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. ભાજપની સફળતાની કહાની માટે આપણ ભારતીય જનસંઘ અંગે જાણવું પડશે. જનસંઘ વર્ષ 1952માં ચૂંટણી લડ્યુ અને કોંગ્રેસની જબજસ્ત લહેર છતાં 3 સીટ મળી હતી. 1957માં બીજી સામાન્ય ચૂંટણીમાં 4 સીટો મળી.
ભાજપ સત્તા પર આવી જો કે સરકાર લાંબા સમય સુધી ન ટકી
વર્ષ 1962માં ત્રીજી લોકસભા ચૂંટણીમાં 14 સીટો મળી. 1967માં ચૌથી લોકસભા ચૂંટણીમાં 35 સીટો. 1971માં સીટો ઘટીને 22 થઈ. એ બાદ ઈંદિરા ગાંધીએ ઈમરજન્સી લાગૂ કરતા. તેમને હરાવવા જનસંઘ સહિત તમામ પાર્ટીઓ ભેગી થઈ જનતા પાર્ટી બનાવી 1977માં છઠ્ઠી સામાન્ય ચૂંટણીમાં 295 સીટો મેળવી પહેલી વાર કોંગ્રેસને સત્તા પરથી હટાવી દેવાયી. જો કે સરકાર લાંબા સમય સુધી ન ટકી.
અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અટવાણીની મહત્વની ભૂમિકા રહી
વર્ષ 1980માં લોકસભામાં આની સીટો ફક્ત 31 થઈ ગઈ અને પાર્ટી વિખેરાઈ ગઈ, એ બાદ જનસંઘની વિચારધારાથી નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. પરંતુ 1984માં ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સીટો જ મળી. નવમી લોકસભા 1989માં 85, 1991માં 120,1996માં 161, 1998-99માં 182 અને 2009માં 116 સીટો મળી હતી. 90માં ભાજપને મજબૂત કરવામાં અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અટવાણીની મહત્વની ભૂમિકા રહી.
હાલમાં ભાજપની સ્થિતિ
ભાજપ અત્યારે મોટી પાર્ટી બની ચૂકી છે. અનેક લોકો જમીનથી સત્તા સુધી પહોંચી ગયા છે. હાલમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહએ પાર્ટીને સૌથી ઉંચા સ્થાન પર પહોંચાડી છે. પૂર્વોત્તર સુધી ભાજપે ઝંડો ફરકાવ્યો છે. સેન્ટર ફોર સ્ટડી ઓફ સોસાયટી એન્ડ પોલિટિક્સના નિર્દેશક પ્રો. એકે વર્મા કહે છે કે એક સમય હતો કે જ્યારે કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે કોંગ્રેસને સિસ્ટમ કહેવામાં આવતી હતી. કોંગ્રેસની ભૂમિ પર જ ભાજપે સિસ્ટમ વિકસાવી છે.