કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના દારૂને લઈને વિવાદિત નિવેદન કર્યું જે બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જો કે નિવેદન બાદ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ગેરકાયદે દારુ વેચાય છે
ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ધાટનમાં કહ્યું હતું ભરતસિંહે નિવેદન
ઠંડીમાં જમવા સાથે ન થાય બીજી વ્યવસ્થા - ભરતસિંહ
લીગલ વેચાય તો ટેક્ષરૂપી ફાયદો થાય - ભરતસિંહ
ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્દઘાટનમાં દારૂબંધી મુદ્દે ભરતસિંહના નિવેદનથી વિવાદ સર્જાયો છે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના દારૂને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું જેમાં પરોક્ષ રીતે દારૂબંધી હટાવવા મુદ્દે કહ્યું કે ઠંડીમાં જમવાની સાથે અન્ય વ્યવસ્થા થઈ શકે એમ નથી ઠંડી બહુ છે પણ ગુજરાતમાં મનાઈ છે આ નિવેદન બાદ તેમણે સમય સાથે બદલાવ આવશે એમ કહેતા રાજકીય માહોલ ગરમાયો છે.
લીગલ વેચાય તો ટેક્ષરૂપી ફાયદો થાય - ભરતસિંહ સોંલકી
જો કે દારૂબંધી અંગેના નિવેદન બાદ ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ગેરકાયદે દારુ વેચાય છે ત્યારે ગુજરાતની જનતા દારૂબંધીના નિર્ણય અંગે નક્કી કરે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં છૂટથી દારૂ વેચાય છે, જો લીગલ વેચાતો હોત તો સરકારને ટેક્ષરૂપે ફાયદો થાય. ભરતસિંહે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના નેતાઓ અને મળતિયાઓ દારૂના વેચાણથી રૂપિયા કમાય છે. ભરતસિંહે ઈંન્દિરા ગાંધીનું નામ લેતા કહ્યું હતું ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ જ્યારે ગરીબોની વાત આવે તો.. વધુમાં દારૂબંધી અંગે 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નહિ પરતું દારૂબંધી હટાવવા મહિલાઓ પરવાનગી આપે તો દારૂબંધી હટી શકે તેમ જણાવ્યું હતું.
વડોદરા જિલ્લામા ત્રણ દિવસમા 53 લાખનો દારૂ પકડાયો
ગુજરાતમાં દારૂબંધીની ચર્ચાઓ વચ્ચે ચૂંટણીઓ પહેલા વડોદરામાં દારૂ ઘૂસાડવાનો પ્રાયસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 53 લાખનો દારૂ પકડાયો તેમજ શહેરના અલગ અલગ 5 કેસમાં 79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરાના ચાર પોલીસ સ્ટેશનમાંથી સ્ટેટ વિજિલન્સે દરોડા પાડી લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે, ચૂંટણી પહેલા અને 31 ડિસેમ્બર લઈને શહેરમાં મોટા પ્રમાણમા દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. મહત્વું છે કે સ્થાનિક પોલીસની બુટલેગરો સાથેની મિલિભગતના કારણે વેપલો ચાલતો હોવાનું પણ મનાઈ રહ્યું છે જે મામલે વિજિલન્સની ટીમે આગળની તપાસ હાથ ધરી છે.