લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યેનું વલણ ઝડપથી વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને દેશના 7,000 પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાશે.
ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર મળશે સુવિધા
કંપનીને મળશે નવો બિઝનેસ, જોખમ ઓછું થશે
દેશના 7000 પેટ્રોલ પંપ બનશે 'એનર્જી સ્ટેશન'
દેશના 7 હજાર પેટ્રોલ પંપ પર ઈ વ્હીકલની ચાર્જિંગની સુવિધા મળશે
લોકોમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, આને ધ્યાનમાં રાખીને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ટૂંક સમયમાં દેશના 7,000 પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (ભારત પેટ્રોલિયમ), એક મહારત્ન કંપની જે સમગ્ર દેશમાં 19,000 થી વધુ પેટ્રોલ પંપ ચલાવે છે, લગભગ 7,000 પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.કંપનીનું કહેવું છે કે આવનારા સમયમાં આ તમામ ચાર્જિંગ સ્ટેશન કામ કરવાનું શરૂ કરી દેશે.
BPCL કંપનીને મળશે નવો બિઝનેસ
ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાની કંપનીની યોજના અંગે એવું કહેવાય છે કે, આનાથી આવનારા સમયમાં પેટ્રોલ -ડીઝલ વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનોની રજૂઆતને કારણે ઈંધણના વેચાણમાં ઘટાડાના જોખમને ઘટાડવામાં મદદ મળશે. તે જ સમયે, કંપની માટે નવા વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે.
પેટ્રોલ પંપ બનશે 'એનર્જી સ્ટેશન'
ભારત પેટ્રોલિયમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અરુણ કુમાર સિંહનું કહેવું છે કે આગામી કેટલાક વર્ષોમાં આ 7,000 પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આનાથી દેશમાં ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને વેગ મળશે. આ તમામ પેટ્રોલ પંપ 'એનર્જી સ્ટેશન' તરીકે ઓળખાશે ભારત પેટ્રોલિયમ એક જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની છે. તે ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપનીઓમાંથી એક છે.